કોરોનાકાળમાં સુરતમાં નવરાત્રી આયોજકોએ સુરક્ષા કવચ સમિતિ બનાવવાની રહેશે, પાલિકા ધન્વંતરી રથ ફાળવશે
ગણપતિ બાદ હવે ગુજરાતનો સૌથી મોટો અને લાંબો ચાલનારા ફેસ્ટિવલ નવરાત્રીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સરકારે 200 વ્યક્તિઓ સાથે ગરબાના આયોજનને પણ મંજૂરી આપી દીધી છે પણ તેમાં પણ સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય કે નહીં. તેવામાં તે પહેલાં સુરત મનપાએ તૈયારી કરી લીધી છે. સુરતમાં રોજના સરેરાશ 170થી 180 કેસો નોંધાઈ રહ્યા છે પણ હવે […]
ગણપતિ બાદ હવે ગુજરાતનો સૌથી મોટો અને લાંબો ચાલનારા ફેસ્ટિવલ નવરાત્રીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સરકારે 200 વ્યક્તિઓ સાથે ગરબાના આયોજનને પણ મંજૂરી આપી દીધી છે પણ તેમાં પણ સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય કે નહીં. તેવામાં તે પહેલાં સુરત મનપાએ તૈયારી કરી લીધી છે. સુરતમાં રોજના સરેરાશ 170થી 180 કેસો નોંધાઈ રહ્યા છે પણ હવે હળવા લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રિકવરી રેટ સારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ફરીવાર હીરાઉદ્યોગમાંથી કેસો સામે આવવા લાગ્યા છે. તેવામાં સુરત મનપાના આરોગ્ય વિભાગે રેપીડ ટેસ્ટની સંખ્યા વધારવાનું નક્કી કર્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સુરત રેલવે સ્ટેશન પર રોજના 800 રેપીડ ટેસ્ટ તો થઈ જ રહ્યા છે પણ હવે ઝોનદીઠ પણ 1,000 રેપીડ ટેસ્ટ કરવાનું આયોજન મનપાએ હાથ ધર્યું છે. નવરાત્રી શરૂ થવાને માટે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નવરાત્રિના આયોજન સ્થળે પણ ગરબા ઘૂમવા આવનાર લોકોના ટેસ્ટ માટે ધન્વંતરી રથ મુકવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જે સ્થળે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં આયોજકે ફરજીયાત સુરક્ષા કવચ સમિતિ પણ બનાવવી પડશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો