કોરોના વાઈરસને લઈને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની નવી પહેલ, વાંચો વિગત
કોરોના વાઇરસના પગલે અમદાવાદ મનપાએ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બે સપ્તાહ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા માસ્ક અને સેનેટાઈઝરની કીટ બનાવવામાં આવી છે.. જો કોઈને વાઇરસને લઈને શંકાસ્પદ લક્ષણ જણાય આવે તો 104 પર સંપર્ક કરવાથી મનપાની ટીમ ઘરે જઈને તેને આ કીટ આપશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]
કોરોના વાઇરસના પગલે અમદાવાદ મનપાએ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બે સપ્તાહ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા માસ્ક અને સેનેટાઈઝરની કીટ બનાવવામાં આવી છે.. જો કોઈને વાઇરસને લઈને શંકાસ્પદ લક્ષણ જણાય આવે તો 104 પર સંપર્ક કરવાથી મનપાની ટીમ ઘરે જઈને તેને આ કીટ આપશે.
આ પણ વાંચો : સિંહ-વાઘના સંરક્ષણ માટે કેટલું ફંડ? MP પરિમલ નથવાણીનો રાજ્યસભામાં સવાલ
કોર્પોરેશન દ્વારા જિમનેશયમ, સ્વીમીંગપુલ સહિત કોર્પોરેશન સંચાલિત હોલ બંધ, મેયરના બે સપ્તાહના સરકારી અને નિમંત્રણના કાર્યક્રમો બંધ રાખવાની પણ જાહેરાત કરાઈ છે. મેયર બિજલ પટેલે કહ્યું કે, શહેરમાં કુલ 250 ટીમ કામ કરે છે. જે જાહેરમાં થૂંકે છે તેને દંડ કરવામાં આવી રહ્યો છે. બિજલ પટેલે કહ્યું કે, સાવધાની અને સતર્કતા એ ઉપચાર છે. આ સાથે જ તેમણે શહેરીજનોને જાહેરમાં અને પ્રસંગમાં ન જવાની અપીલ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સૌથી વધારે કેસ પાડોશી રાજ્યમાં જ નોંધાયા હોવાથી ગુજરાતમાં પણ કાળજી રાખવી જરૂરી છે. જો કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો અને તપાસ કરાઓ. આ સિવાય અમદાવાદમાં 104 નંબર પર કોલ કરીને કોરોના અંગેની કીટ પણ મેળવી શકો છો. અમદાવાદ મ્યુસિપલ કોર્પોરેશન આ પગલાઓ કોરોનાના ના ફેલાય તે માટે લીધા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]