કોરોના વાયરસ: હરિદ્વારમાં ગંગા આરતી માટે શ્રદ્ધાળુઓની એન્ટ્રી બંધ, દેશમાં 166 લોકો સંક્રમિત
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 166એ પહોંચી ગઈ છે. જેમાં 141 ભારતીય અને 25 વિદેશી નાગરકિ સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. 15 લોકોની સારવાર કરી દેવામાં આવી છે અને દેશમાં કોરોના વાયરસના કારણે મોતની સંખ્યા 3 થઈ ચૂકી છે. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા […]
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 166એ પહોંચી ગઈ છે. જેમાં 141 ભારતીય અને 25 વિદેશી નાગરકિ સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. 15 લોકોની સારવાર કરી દેવામાં આવી છે અને દેશમાં કોરોના વાયરસના કારણે મોતની સંખ્યા 3 થઈ ચૂકી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભારતમાં કોરોનાના વધતા ખતરાની વચ્ચે વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રને સંબોધિત કરશે. TV9ની નજર કોરોના વાયરસથી સંબંધિત દરેક અપડેટ પર છે. અમારા દરેક પ્લેટફોર્મ પર તમે કોરોનાથી જોડાયેલા તમામ સમાચાર જાણી શકશો.
જમ્મૂ કાશ્મીરમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. તે વ્યક્તિને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. તેની સાથે જ જમ્મૂ કાશ્મીરમાં વૈષ્ણોદેવી યાત્રા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. ત્યારે હરિદ્વારમાં ડીએમ સી રવિશંકરે હર કી પૌડી પર થતી ગંગા આરતીમાં શ્રદ્ધાળુઓના જવા પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ 31 માર્ચ સુધી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઉલ્લેખનીય છે કે માનવ સંસાધન મંત્રાલયે નિર્દેશ જાહેર કર્યો છે કે સીબીએસઈ, કોલેજ, યૂનિવર્સિટી સહિત તમામ પરીક્ષા 31 મે સુધી ટાળી દેવામાં આવે. એચઆરડી સેક્રેટરી અમિત ખેરેએ જણાવ્યું કે શૈક્ષણિક કેલેન્ડર અને પરીક્ષા શેડ્યુલ જરૂરી છે પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા તેના પહેલા છે. તેથી સીબીએસઈ બોર્ડ અને બાકી અન્ય પરીક્ષાઓ 31 માર્ચ સુધી સ્થગિત રહેશે.
આ પણ વાંચો: કોરોના વાયરસ: શેરબજારમાં કડાકો યથાવત, સેન્સેક્સમાં ફરી ઘડાટો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]