કોરોના વાઈરસના લીધે 3000 લોકોના મોત, 88 હજાર લોકો સારવાર હેઠળ
કોરોના વાઈરસને લઇને વિશ્વભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અડધું વિશ્વ કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયું છે. અત્યારસુધીમાં 88 હજાર લોકો આ વાઈરસના લીધે સંક્રમિત થયા છે. મોતના આંકડાઓની વાત કરીએ તો 3000ને પાર સંખ્યા પહોંચી ચુકી છે. ચીનમાં સૌથી વધારે 2870 લોકોના મોત નીપજ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]
કોરોના વાઈરસને લઇને વિશ્વભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અડધું વિશ્વ કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયું છે. અત્યારસુધીમાં 88 હજાર લોકો આ વાઈરસના લીધે સંક્રમિત થયા છે. મોતના આંકડાઓની વાત કરીએ તો 3000ને પાર સંખ્યા પહોંચી ચુકી છે. ચીનમાં સૌથી વધારે 2870 લોકોના મોત નીપજ્યા છે.
ઈરાન અને ઈટાલીમાં પણ કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છો તેના લીધે ભારત સરકાર ત્યાંથી ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરવાનું વિચારી રહી છે. ઈટાલીમાંથી ભારત સરકાર પોતાના નાગરિકોને બહાર કાઢે તેવી અપીલ નેતાઓએ પણ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કોરોના વાઈરસના લીધે ખાડી દેશોમાં પણ ભારે અસર જોવા મળી રહી છે. શેરબજારમાં પણ લોકોના પૈસાનું ધોવાણ થઈ રહ્યું છે. ચીન સાથે કોઈ દેશ વેપાર કરવા માટે તૈયાર નથી. ચીન બાદ સૌથી કોઈ પ્રભાવિત દેશ હોય તો તે દક્ષિણ કોરિયા છે જ્યાં 20 લોકોના મોત નીપજ્યા છે. જો કે હાલ ઈરાન પણ તેની ઝપેટમાં છે જ્યાં 54 લોકોના મોત નીપજી ચૂક્યાં છે. જાપાનના તટ પર ઉભા રહેલાં ક્રુઝમાં 12 લોકોના મોત નીપજ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]