સોલા સિવીલમાં કોરોનાની રસીનુ પરીક્ષણ શરૂ, આજથી રોજ 25થી 30ને અપાશે ટ્રાયલ વેકસીન
અમદાવાદ અને ગાંધીનગર સ્થિત પાંચ હોસ્પિટલો પૈકીમાં આજથી સોલા સિવીલ હોસ્પિટલમાં કોરોનાની રસીનુ પરિક્ષણ શરૂ કરાશે. રોજ 25થી 30 લોકોને આ રસી આપવામાં આવશે. રસી અપાયા પછી , રસી લેનાર વ્યક્તિનુ સમયાતરે પરિક્ષણ કરાતુ રહેશે. ભારતમાં તૈયાર કરાયેલ વેકસિનનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીના પરીક્ષણમાં સફળતા સાપડતા હવે ત્રીજા તબક્કાનું પરીક્ષણ હાથ […]
અમદાવાદ અને ગાંધીનગર સ્થિત પાંચ હોસ્પિટલો પૈકીમાં આજથી સોલા સિવીલ હોસ્પિટલમાં કોરોનાની રસીનુ પરિક્ષણ શરૂ કરાશે. રોજ 25થી 30 લોકોને આ રસી આપવામાં આવશે. રસી અપાયા પછી , રસી લેનાર વ્યક્તિનુ સમયાતરે પરિક્ષણ કરાતુ રહેશે. ભારતમાં તૈયાર કરાયેલ વેકસિનનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીના પરીક્ષણમાં સફળતા સાપડતા હવે ત્રીજા તબક્કાનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. 500 જેટલી કો વેકસીન સોલા સિવીલમાં લવાઈ દેવાઈ છે. જેના માટે સ્વંયસેવક અગાઉથી જ નક્કી કરી દેવાયા છે. મોનીટરીગ એક્સપર્ટ ટીમ કરશે. જેના માટે દિલ્લીથી ખાસ અધિકારીીઓ આવ્યા હતા અને તેમણે સોલા સિવીલના કેટલાક લોકોને તાલિમ આપી છે. ટ્રાયલ વેકસીન લેનારમાં કેવા કેવા પ્રકારના ફેરફાર થઈ રહ્યાં છે તે ચકાસીને વેકસીન અંગે જાહેરાત કરાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો