કોરોના વેક્સિનની ગંભીર આડઅસરનો પ્રથમ કેસ આવ્યો સામે, આડઅસર થનાર વ્યક્તિએ રૂપિયા 5 કરોડનું વળતર માંગ્યું
સમગ્ર વિશ્વમાં કોરોનાની વેક્સિન શોધવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ત્યારે ભારતમાં કોરોના વેક્સિનને લઈ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારત કોવિડશીલ્ડ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ લેનાર વ્યક્તિને આડઅસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે આડઅસર થનાર વ્યક્તિએ રૂપિયા 5 કરોડનું વળતર માંગ્યું છે. ભારતમાં કોરોનાની વેક્સિન કોવીશીલ્ડની ગંભીર આડઅસરનો આ પ્રથમ કેસ નોંધાયો […]
સમગ્ર વિશ્વમાં કોરોનાની વેક્સિન શોધવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ત્યારે ભારતમાં કોરોના વેક્સિનને લઈ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારત કોવિડશીલ્ડ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ લેનાર વ્યક્તિને આડઅસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે આડઅસર થનાર વ્યક્તિએ રૂપિયા 5 કરોડનું વળતર માંગ્યું છે. ભારતમાં કોરોનાની વેક્સિન કોવીશીલ્ડની ગંભીર આડઅસરનો આ પ્રથમ કેસ નોંધાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ચેન્નાઈમાં ‘કોવીશીલ્ડ’ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ લેનાર વ્યક્તિને ગંભીર આડઅસર થઈ છે. તેણે કંપની પાસેથી રૂપિયા 5 કરોડના વળતરની માંગ કરી છે. 40 વર્ષની આ વ્યક્તિએ ચેન્નાઈમાં હ્યુમન ટ્રાયલ લીધું હતું. આડઅસર થતી આ વ્યક્તિએ પોતાને થતી તકલીફો વિશે જણાવતા કહ્યું હતું કે,’તેની યાદશક્તિમાં, નવી વસ્તુ શીખવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં, નિર્ણય લેવામાં અને રોજબરોજના કામમાં તકલીફ પડી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો