કોરોના વેક્સીનને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન, સોલા સિવિલ ખાતે રસીની ટ્રાયલ શરુ કરાશે, 500 વેક્સીનનો જથ્થો ભારત બાયોટેક દ્વારા અપાયો
કોરોના વેક્સીનને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે વિગતો આપતા જણાવ્યું છે કે કોરોનાની ટ્રાયલ વેક્સીન અમદાવાદમાં આવી પોહચી છે. ભારત સરકાર તરફથી ભારત બાયોટેક કંપની તરફથી રીસર્ચ થઇ રહ્યું હતું તેમાંથી ઘણા તબક્કા પસાર થઇ ગયા છે . મોટી હોસ્પીટલમાં જે નાગરીકો સ્વસ્થ છે તેમના પર આ ટ્રાયલ કરવામાં આવી રહી છે. સોલા સિવિલ […]
કોરોના વેક્સીનને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે વિગતો આપતા જણાવ્યું છે કે કોરોનાની ટ્રાયલ વેક્સીન અમદાવાદમાં આવી પોહચી છે.
ભારત સરકાર તરફથી ભારત બાયોટેક કંપની તરફથી રીસર્ચ થઇ રહ્યું હતું તેમાંથી ઘણા તબક્કા પસાર થઇ ગયા છે . મોટી હોસ્પીટલમાં જે નાગરીકો સ્વસ્થ છે તેમના પર આ ટ્રાયલ કરવામાં આવી રહી છે. સોલા સિવિલ કે જે મેડીકલ કોલેજ સાથે સંલગ્ન છે તેમના માટે ૫૦૦ વેક્સીન આપી દેવામાં આવી છે. આ સંદર્ભના તજજ્ઞ ડોક્ટર છે તે લોકો સ્થાનિકને ટ્રેનીંગ આપશે. જે લોકો પોતાના પર ટ્રાયલ કરાવવા માટે તૈયાર થયા છે તેવા લોકોની તબિયતની પણ ચિંતા કરવામાં આવશે. મહિનામાં બે વાર આ પ્રક્રિયા રેહશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો