કોરોના સંક્રમણને પગલે શામળાજી મંદિર ટ્રસ્ટનો નિર્ણય, 27થી 30 નવેમ્બર સુધી મંદિર રહેશે બંધ
અરવલ્લીમાં વધી રહેલા સંક્રમણ વચ્ચે શામળાજીના શામળીયાના 4 દિવસ સુધી દર્શન નહીં કરી શકાય. કોરોના સંક્રમણને રોકવા માટે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. અને તારીખ 27મી નવેમ્બરથી 30મી નવેમ્બર સુધી મંદિર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે મંદિરના પૂજારીઓ દ્વારા ઠાકોરજીની નિત્યક્રમ મુજબ પૂજાપાઠ અને સેવા કરશે. જોકે ભક્તો 4 દિવસ […]
અરવલ્લીમાં વધી રહેલા સંક્રમણ વચ્ચે શામળાજીના શામળીયાના 4 દિવસ સુધી દર્શન નહીં કરી શકાય. કોરોના સંક્રમણને રોકવા માટે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. અને તારીખ 27મી નવેમ્બરથી 30મી નવેમ્બર સુધી મંદિર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે મંદિરના પૂજારીઓ દ્વારા ઠાકોરજીની નિત્યક્રમ મુજબ પૂજાપાઠ અને સેવા કરશે. જોકે ભક્તો 4 દિવસ સુધી મંદિરમાં પ્રવેશ નહીં કરી શકે. મહત્વપૂર્ણ છે કે અગાઉ મેળો મોકૂફ રાખવામાં આવ્યો હતો. જ્યારે હવે મંદિર બંધ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો