કોરોનાના નિયમોનું નેતાઓ દ્વારા વારંવાર ઉલ્લંઘન, ભરૂચમાં ભાજપ જિલ્લા પ્રમુખના સન્માન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
એક તરફ વધતા કોરોના સંક્રમણને લઈને સરકાર વારંવાર કોઈ કાર્યક્રમો ન યોજવા સૂચના આપે છે. પરંતુ નેતાઓ છે કે માનતા નથી. આ વખતે ભરૂચ નગરપાલિકામાં જિલ્લા ભાજપ પ્રમુખની આગતા-સ્વાગતા કરવામાં સોશિયલ ડિસ્ટન્સની ઐસીતૈસી થઈ. ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. જોકે આ સમગ્ર કાર્યક્રમને લઈને […]
એક તરફ વધતા કોરોના સંક્રમણને લઈને સરકાર વારંવાર કોઈ કાર્યક્રમો ન યોજવા સૂચના આપે છે. પરંતુ નેતાઓ છે કે માનતા નથી. આ વખતે ભરૂચ નગરપાલિકામાં જિલ્લા ભાજપ પ્રમુખની આગતા-સ્વાગતા કરવામાં સોશિયલ ડિસ્ટન્સની ઐસીતૈસી થઈ. ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. જોકે આ સમગ્ર કાર્યક્રમને લઈને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે, પાલિકાના અધિકારીઓ કોરોનાનું બહાનુ કાઢીને સામાન્ય સભા યોજતા નથી. પરંતુ નેતાઓનું સન્માન કરવામાં તેમને કોરોના નથી નડતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો