કોરોનાને કારણે દિવાળી વેકેશનમાં ગુજ્જુ પ્રવાસીઓનો અભિગમ બદલાયો, કરોડોના બુકિંગ કરાવ્યા કેન્સલ
દિવાળી અને નવા વર્ષના તહેવારોની રજા, વેકેશનમાં લોકો હરવા-ફરવા જવા માટેનું પ્લાનિંગ ગોઠવતા હોય છે. આ માટે પ્રવાસીઓ અગાઉથી પ્લાનિંગ કરીને બુકિંગ કરે છે. પરંતુ કોરોના કાળમાં ચાલુ વર્ષે સિમલા-મનાલી, ગોવા, કેરળ જવાનું પ્રવાસીઓએ માંડી વાળ્યું છે. દુબઈ ખુલ્યું હોવા છતાં લોકો કોરોના કાળમાં વિદેશ જતા ડરી હ્યાં છે. ગુજરાત બહાર જવાને બદલે સાસણ, જૂનાગઢ […]
દિવાળી અને નવા વર્ષના તહેવારોની રજા, વેકેશનમાં લોકો હરવા-ફરવા જવા માટેનું પ્લાનિંગ ગોઠવતા હોય છે. આ માટે પ્રવાસીઓ અગાઉથી પ્લાનિંગ કરીને બુકિંગ કરે છે. પરંતુ કોરોના કાળમાં ચાલુ વર્ષે સિમલા-મનાલી, ગોવા, કેરળ જવાનું પ્રવાસીઓએ માંડી વાળ્યું છે. દુબઈ ખુલ્યું હોવા છતાં લોકો કોરોના કાળમાં વિદેશ જતા ડરી હ્યાં છે. ગુજરાત બહાર જવાને બદલે સાસણ, જૂનાગઢ રોપ-વે અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે પ્રવાસીઓ બુકિંગ કરાવી રહ્યાં છે. ગુજરાતી પરિવારોને ટ્રેન અને બસમાં કોરોના સંક્રમણનો ડર સતાવે છે. એટલે જ ખાનગી કારમાં નજીકના સ્થળોએ જવાના પ્રવાસ ગોઠવાયા છે. ટૂર ઓપરેટરોને દિવાળી સુધરવાની આશા હતી. પરંતુ પર્યટકોના આયોજન બદલાતા અમદાવાદ, રાજકોટના ટૂર ઓપરેટરને 500 કરોડનું નુકસાન વેઠવું પડશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો