VIDEO: વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત લવાશે, અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે કોંગ્રેસ આક્રમક
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની કોંગ્રેસે ફરી તૈયારી કરી છે. ગૃહમાં અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે કોંગ્રેસી ધારાસભ્યો આક્રમક મૂડમાં જોવા મળ્યાં છે. પાક વીમા મુદ્દે ચર્ચા ન થતાં સૌરાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્યોએ દંડક અશ્વિન કોટવાલને રજૂઆત કરી હતી. આ મુદ્દે આજે મળનારી કોંગ્રેસી ધારાસભ્યોની બેઠકમાં વિસ્તૃત ચર્ચા થશે. જેમાં અમિત ચાવડા, પરેશ […]
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની કોંગ્રેસે ફરી તૈયારી કરી છે. ગૃહમાં અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે કોંગ્રેસી ધારાસભ્યો આક્રમક મૂડમાં જોવા મળ્યાં છે. પાક વીમા મુદ્દે ચર્ચા ન થતાં સૌરાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્યોએ દંડક અશ્વિન કોટવાલને રજૂઆત કરી હતી. આ મુદ્દે આજે મળનારી કોંગ્રેસી ધારાસભ્યોની બેઠકમાં વિસ્તૃત ચર્ચા થશે. જેમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતા ચર્ચા બાદ અવિશ્વાસની દરખાસ્ત લાવવી કે નહીં તે અંગે નિર્ણય લેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલના મુંબઈ સ્થિત ઘર પર EDના દરોડા