સામ પિત્રોડાએ શીખ રમખાણો અંગે કરેલા નિવેદન બદલ માગી માફી! કોંગ્રેસે પણ બચાવ કરતાં કહ્યું કે ‘તે સામ પિત્રોડાનું અંગત નિવેદન’
આંતરરાષ્ટ્રીય કોંગ્રેસના ઇન્ચાર્જ અને રાહુલ ગાંધીના સલાહકાર સામ પિત્રોડાએ ગુરૂવારે 1984ના શીખ રમખાણો અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે ‘રમખાણો થયા તો થયા’. શુક્રવારે શામ પિત્રોડાએ માંફી માગતા કહ્યું હતું કે ભાષાકીય ગોટાળાના કારણે આ ભૂલ થઇ હતી. પિત્રોડાએ કહ્યું કે શીખ ભાઈઓ બહેનોની લાગણીને દૂભાવવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો અને જો કોઈને લાગણી દુભાઈ […]
આંતરરાષ્ટ્રીય કોંગ્રેસના ઇન્ચાર્જ અને રાહુલ ગાંધીના સલાહકાર સામ પિત્રોડાએ ગુરૂવારે 1984ના શીખ રમખાણો અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે ‘રમખાણો થયા તો થયા’.
શુક્રવારે શામ પિત્રોડાએ માંફી માગતા કહ્યું હતું કે ભાષાકીય ગોટાળાના કારણે આ ભૂલ થઇ હતી. પિત્રોડાએ કહ્યું કે શીખ ભાઈઓ બહેનોની લાગણીને દૂભાવવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો અને જો કોઈને લાગણી દુભાઈ હોય તો હું માંફી માંગુ છું.
આ મુદ્દે શુક્રવારે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે સામ પિત્રોડાએ કરેલું નિવેદન સંપૂર્ણપણે તેમનું વ્યક્તિગત નિવેદન હતું તેની સાથે કોંગ્રેસને કોઈ લેવા-દેવા નથી. નેતાઓએ આ પ્રકારની નિવેદનબાજી કરતા ચેતવું જોઈએ. કોંગ્રેસે કહ્યું હતું કે 1984 હોય કે 2002 રમખાણોના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ છે અને ન્યાય મળવો જોઈએ.
આ અંગે કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સવાલ કર્યો કે હવે તે સામ પિત્રોડા સામે કોઇ કાર્યવાહી કરશે કે કેમ? વડાપ્રધાન મોદીએ આ સામ પિત્રોડાના આ નિવેદનને વખોડીને કહ્યું કે કોંગ્રેસ માટે જીવનનું કોઈ મૂલ્ય નથી, એમના માટે માણસ એ માણસ નથી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]