ટીમ ઈન્ડિયાની ‘ભગવા’ જર્સીના સમર્થનમાં આવ્યા કોંગ્રેસી સાંસદ શશિ થરુર, જાણો શું કહ્યું?
કોંગ્રેસના શશિ થરુરે શનિવારના રોજ કહ્યું કે ભારતીય ભગવા રંગની જે પસંદગી કરવામાં આવી છે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમ મુજબ જ કરાઈ છે. શશિ થરુરે ભગવા રંગને ભારત માટે ગર્વનો રંગ હોવાની વાત પણ કરી હતી. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં […]
કોંગ્રેસના શશિ થરુરે શનિવારના રોજ કહ્યું કે ભારતીય ભગવા રંગની જે પસંદગી કરવામાં આવી છે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમ મુજબ જ કરાઈ છે. શશિ થરુરે ભગવા રંગને ભારત માટે ગર્વનો રંગ હોવાની વાત પણ કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : મશહુર ડાંસર અને સિંગર સપના ચૌધરી પણ હવે કરશે રાજનીતિ, આ પાર્ટીમાં જોડાયા
શશિ થરુરે આ બાબતે કહ્યું કે જે મેજબાન ટીમ છે તેને પોતાની જર્સીનો રંગ બદલવાની જરુર હોતી નથી. જો કે જે બીજી ટીમ હોય તે જે યજમાન તરીકે આવી હોય તેને પોતાનો રંગ બદલવાની જરુર પડે છે. ભારતે પણ એવું જ કર્યું અને પોતાના કપડાંનો રંગ ભગવો અને બ્લુ રાખ્યો. કોંગ્રેસી સાંસદે શશિ થરુરે વધુમાં કહ્યું કે મેં ભગવા જેકેટ પહેરી છે જેમાં બ્લુ રંગનો પૉકેટ રુમાલ લાગ્યો છે. આ ઈંગ્લેન્ડની સામે ભારતીય ટીમનું સમર્થન કરે છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે ભારતીય ટીમ ભગવા જર્સીની સાથે ઈંગ્લેન્ડની સામે મેદાનમાં ઉતરશે આવી જાહેરાત થઈ ત્યારે કોંગ્રેસ અને સપાના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ભગવા રંગ સામે હતો. આઈસીસીએ પણ આ રંગની જર્સી અંગે સ્પષ્ટતા કરવી પડી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]