મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ CAA મુદ્દે કૉંગ્રેસના વિરોધ પર કર્યા શાબ્દીક પ્રહાર
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ CAA મુદ્દે કૉંગ્રેસના વિરોધ પર આડકતરા વાર કર્યા. મુખ્યપ્રધાને કહ્યું કે, દેશની આઝાદી બાદ કેટલાક મહત્વના પ્રશ્નોનું નિરાકરણ ત્વરિત થવું જોઈતું હતું. તે રાજકીય પક્ષોએ વોટબેંકની રાજનીતિને કારણે ન કર્યું. જેથી દેશ વિકાસમાં પાછળ રહી ગયો. મુખ્યપ્રધાને કહ્યું કે ભાજપના રાજમાં કર્ફયુ શબ્દ ભૂતકાળ બની ગયો છે. આ પ્રસંગે સીએમ વિજય […]
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ CAA મુદ્દે કૉંગ્રેસના વિરોધ પર આડકતરા વાર કર્યા. મુખ્યપ્રધાને કહ્યું કે, દેશની આઝાદી બાદ કેટલાક મહત્વના પ્રશ્નોનું નિરાકરણ ત્વરિત થવું જોઈતું હતું. તે રાજકીય પક્ષોએ વોટબેંકની રાજનીતિને કારણે ન કર્યું. જેથી દેશ વિકાસમાં પાછળ રહી ગયો. મુખ્યપ્રધાને કહ્યું કે ભાજપના રાજમાં કર્ફયુ શબ્દ ભૂતકાળ બની ગયો છે.
આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ 5 ટ્રીલિયન ડૉલર ઈકોનોમીના પીએમ મોદીના સપનાને સાકાર કરવા હાંકલ કરી. તેમણે કહ્યું કે દેશને આ સિદ્ધિએ પહોંચાડવા ગુજરાતે દોઢ ટ્રીલિયન ડૉલર ઈકોનોમીનો લક્ષ્યાંક પાર કરવો પડશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ ઉપરાંત રૂપાણીએ વિરોધીઓ પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસે મોદીના મહત્વકાંક્ષી સપનાની મજાક ઉડાવી હતી. પરંતુ આજે આ સપના સાકાર થયા છે. સપનું જોવા માટે પણ જીગર જોઈએ.
CM વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. MSME સેક્ટરમાં ગુજરાત હબ છે. 30 લાખ રોકાણકારો લાખોને રોજગારી આપે છે. તેમણે દાવો કર્યો કે સમગ્ર દેશમાં ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો