સુષમા સ્વરાજે કુલભૂષણ જાધવ કેસના વકીલ હરીશ સાલ્વેને 1 રૂપિયાની ફી આપવા બોલાવ્યા હતા
પૂર્વ વિદેશપ્રધાન સુષમા સ્વરાજનું મંગળવાર રાતે નિધન થયું છે. હ્યદયરોગનો હુમલો આવ્યા બાદ સુષમા સ્વરાજે દિલ્લીની એઈમ્સમા અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે નિધનના એક કલાક પહેલા જ સુષમા સ્વરાજે કુલભૂષણ જાધવ કેસ મામલે વકીલ હરીશ સાલ્વેને તેમની 1 રૂપિયાની ફી આપવા બોલાવ્યા હતા. આ પણ વાંચોઃ સુષમા સ્વરાજની રાજય અને રાષ્ટ્રીય સ્તરે 45 વર્ષની રાજકીય […]
પૂર્વ વિદેશપ્રધાન સુષમા સ્વરાજનું મંગળવાર રાતે નિધન થયું છે. હ્યદયરોગનો હુમલો આવ્યા બાદ સુષમા સ્વરાજે દિલ્લીની એઈમ્સમા અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે નિધનના એક કલાક પહેલા જ સુષમા સ્વરાજે કુલભૂષણ જાધવ કેસ મામલે વકીલ હરીશ સાલ્વેને તેમની 1 રૂપિયાની ફી આપવા બોલાવ્યા હતા.
આ પણ વાંચોઃ સુષમા સ્વરાજની રાજય અને રાષ્ટ્રીય સ્તરે 45 વર્ષની રાજકીય સફરની ઝાંખી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કરતા હરીશ સાલવેએ જણાવ્યુ હતું કે, સુષમાજી સાથે તેમની થોડી વાર પહેલા જ વાત થઈ હતી. અને સુષમાજીએ તેમને કુલભૂષણ જાધવના કેસ માટે મળીને એક રૂપિયો ફી લેવા આવવા જણાવ્યું હતું. અને આ વાતચીતના કલાકમાં જ સુષમા સ્વરાજનું નિધન થવાના સમાચાર સામે આવ્યા હતા. જે સાંભળી હરીશ સાલ્વએ ભાવૂક થઈ શોક વ્યક્ત કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે વકીલ હરીશ સાલ્વેએ હેગ સ્થિત આંતરાષ્ટ્રીય ન્યાયાલયમાં કુલભૂષણ જાધવ મામલાની સુનવણીમાં 1 રૂપિયાની ફી લઈને ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. અને આઈસીજેએ કુલભૂષણ જાધવની ફાંસી પર રોક યથાવત રાખી. જાધવને કોન્સ્યુલર એક્સેસ દેવાનો આદેશ કર્યો હતો.
[yop_poll id=”1″]