VIDEO: વડોદરામાં CM રૂપાણીએ સૂરસાગર તળાવના લોકાર્પણ સાથે મહાઆરતી કરી
આ તરફ વડોદરાના સૂરસાગર તળાવ પર મહાશિવરાત્રી નિમિત્તે મહાઆરતી યોજાઈ હતી. ભગવાન શિવજીની મહાઆરતીમાં હજારો ભક્તો જોડાયા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સૂરસાગરની મહાઆરતીમાં જોડાયા હતા. સીએમ રૂપાણીએ નવીનિકરણ થયેલા આ સૂરસાગર તળાવ પર મહાદેવની મહાઆરતી કરી હતી. તેમણે શિવરાત્રીના દિવસે જ સૂરસાગર તળાવનું લોકાર્પણ કરીને મહાઆરતી કરી હતી. આ પણ વાંચો: વારિસ પઠાણના નિવેદન […]
આ તરફ વડોદરાના સૂરસાગર તળાવ પર મહાશિવરાત્રી નિમિત્તે મહાઆરતી યોજાઈ હતી. ભગવાન શિવજીની મહાઆરતીમાં હજારો ભક્તો જોડાયા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સૂરસાગરની મહાઆરતીમાં જોડાયા હતા. સીએમ રૂપાણીએ નવીનિકરણ થયેલા આ સૂરસાગર તળાવ પર મહાદેવની મહાઆરતી કરી હતી. તેમણે શિવરાત્રીના દિવસે જ સૂરસાગર તળાવનું લોકાર્પણ કરીને મહાઆરતી કરી હતી.
આ પણ વાંચો: વારિસ પઠાણના નિવેદન પર કઈ કઈ જગ્યાએ થયો વિરોધ, જુઓ VIDEO
અહીં ભગવાન ભોલેનાથની 111 ફૂટની પ્રતિમા છે. જેની સીએમ રૂપાણીના હસ્તે આરતી કરાવામાં આવી હતી. આ પહેલા વાડી વિસ્તારથી સૂરસાગર તળાવ સુધી શિવયાત્રા નીકળી હતી. ભક્તો અલગ અલગ વેશ ધારણ કરીને આ શિવયાત્રામાં જોડાયા હતા. હજારો ભક્તોની આ શોભાયાત્રાનો અનોખો નજારો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો