અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીના મૃતદેહનું કરાયું પોસ્ટમોર્ટમ, પરીક્ષણ, રિસર્ચ અને અભ્યાસ માટે પોસ્ટમોર્ટમ
રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ કોરોનાના દર્દીઓના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાઈ રહ્યું છે. પરીક્ષણ, રિસર્ચ અને અભ્યાસ માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. દિવાળી બાદ કોરોનાથી મૃત્યુ પામેલા ચાર લોકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું છે. કુલ 50 મૃતદેહના પોસ્ટમોર્ટમનો ટાર્ગેટ છે, પરંતુ દર્દીઓના સ્વજનો સહયોગ ન આપી રહ્યા હોવાથી રિસર્ચ માટે મૃતદેહ મળવા મુશ્કેલ છે. દિવાળી બાદ […]
રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ કોરોનાના દર્દીઓના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાઈ રહ્યું છે. પરીક્ષણ, રિસર્ચ અને અભ્યાસ માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. દિવાળી બાદ કોરોનાથી મૃત્યુ પામેલા ચાર લોકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું છે. કુલ 50 મૃતદેહના પોસ્ટમોર્ટમનો ટાર્ગેટ છે, પરંતુ દર્દીઓના સ્વજનો સહયોગ ન આપી રહ્યા હોવાથી રિસર્ચ માટે મૃતદેહ મળવા મુશ્કેલ છે. દિવાળી બાદ 26 સ્વજનોને પૂછવામાં આવ્યું હતું, જેમાંથી ફક્ત ચાર પરિવારોએ જ તેમના સ્વજનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે આપ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં રિસર્ચ માટે અલગ ડોમ બનાવીને પીએમ રૂમ તૈયાર કરાયો છે. કોરોના સામેની લડતમાં પેથોલોજી ઓટોપ્સી રિસર્ચ મહત્વનો ભાગ ભજવશે. રાજકોટમાં અત્યાર સુધી 22 પેથોલોજી ઓટોપ્સી થઈ ચૂકી છે. સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારનું રિસર્ચ ICMRની ગાઈડલાઈન પ્રમાણે મંજૂરી બાદ શરૂ કરાયું છે.
આ પણ વાંચો: રાજકોટઃ રાત્રી કરફ્યૂથી બ્યુટી પાર્લર સંચાલકોને હાલાકી, સરકાર દ્વારા ગાઇડલાઇનમાં સુધારો કરવાની માગ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો