નાગરિકતા સંશોધન બિલને કેબિનેટની મંજૂરી બાદ સંસદના બંને ગૃહમાં રજૂઆત પહેલા વિરોધ શરૂ
નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill)ને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. અને હવે સંસદમાં રજૂ કરવામાં આવશે. નાગરિકતા સંશોધન બિલ Citizenship Amendment Bill) ઘૂસણખોરો સાથે લોકોની નાગરિકતાનો રસ્તો સરળ થશે. પરંતુ આ મામલે વિપક્ષ શા માટે વિરોધ કરી રહ્યું છે. અને શું છે નાગરિકતા સંશોધન બિલ શું છે જાણો.. આ પણ વાંચોઃ બિન-સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના […]
નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill)ને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. અને હવે સંસદમાં રજૂ કરવામાં આવશે. નાગરિકતા સંશોધન બિલ Citizenship Amendment Bill) ઘૂસણખોરો સાથે લોકોની નાગરિકતાનો રસ્તો સરળ થશે. પરંતુ આ મામલે વિપક્ષ શા માટે વિરોધ કરી રહ્યું છે. અને શું છે નાગરિકતા સંશોધન બિલ શું છે જાણો..
નાગરિકતા સંશોધન બિલનો ઉદેશ્ય 6 સમુદાય જેમાં-હિન્દુ, ઈસાઈ, શીખ, જૈન, બોદ્ધ અને પારસી લોકોને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાનો છે. NRC પછી મોદી સરકાર નાગરિકતા સંશોધન બિલ નાગરિકતા અધિનિયમ 1955ના નિયમમાં સંશોધન કરવાની તૈયારીમાં છે. આ બિલ કેબિનેટમાં પાસ કરી દેવાયું છે. જે બાદ બંને સદનમાં રજૂ કરવામાં આવશે. આ બિલ નાગરિકતા સંબંધિત કાનૂન છે.
આ બિલ દ્વારા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફધાનિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, જૈન, પારસી, બોદ્ધ અને ખિસ્ત્રી સમુદાયના લોકોને નાગરિકતા મળવામાં સરળતા થઈ જશે. નાગરિકતાનું પ્રમાણપત્ર મેળવવા માટે 11 વર્ષ સુધી ભારતમાં નિવાસ હોવો જરૂરી છે. પરંતુ આ સમય ઘટાડીને 6 વર્ષનો કરી દેવાયો છે. આ બિલ દ્વારા દેશમાં ઘૂસણખોરોની પરિભાષા બદલવાનો પ્રયાસ સરકાર કરી રહી છે.
તો આ મામલે કોંગ્રેસ અને AIUDF ધાર્મિક આધાર પર નાગરિકતા બિલના હેતુને લઈ વિરોધ નોંધાવ્યો છે. આ બિલને 1985ના અસમ કરારનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે. જેમાં વર્ષ 1971 પછી બાંગ્લાદેશમાંથી આવેલા તમામ ધર્મના લોકોને નિર્વાસિત કરવાની વાત કહેવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો