ચોખા ખાવાથી દૂર ના ભાગો, જાણો તેના ફાયદા વિશે
મોટાભાગના લોકો એવા છે જે ચોખા ખાવાથી દૂર રહેવાનું પસંદ કરે છે. કેટલાક લોકોનું માનવું છે કે જો ચોખા એટલે કે ભાત નિયમિત ખાવાથી મોટાપણું વધી શકે છે. એટલા માટે કેટલાક લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા. જો તમે પણ એ લોકોમાં સામેલ છે, જે ચોખા ખાવાથી દૂર રહો છો તો એકવાર તેના ફાયદા વિશે […]
મોટાભાગના લોકો એવા છે જે ચોખા ખાવાથી દૂર રહેવાનું પસંદ કરે છે. કેટલાક લોકોનું માનવું છે કે જો ચોખા એટલે કે ભાત નિયમિત ખાવાથી મોટાપણું વધી શકે છે. એટલા માટે કેટલાક લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા. જો તમે પણ એ લોકોમાં સામેલ છે, જે ચોખા ખાવાથી દૂર રહો છો તો એકવાર તેના ફાયદા વિશે જરૂરથી જાણો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અલઝાઈમરના દર્દીઓ માટે ચોખા ખૂબ જ ફાયદાકારક હોય છે. એવું માનવામાં આવે છે તેને ખાવાથી મગજમાં ન્યુરોટ્રાન્સમીટરનો વિકાસ તેજ થઈ જાય છે. જે અલઝાઈમરની બીમારીથી લડવામાં સહાયક થાય છે. સફેદ ચોખાની સરખામણીમાં ભૂરા ચોખા જેને બ્રાઉન રાઈસ પણ કહેવામાં આવે છે. તેમાં એવા તત્ત્વો હોય છે, જેનાથી આરોગ્ય માટે સૌથી વધારે ફાયદો થશે. ફક્ત એક વાટકી ચોખા ખાવાથી શરીરને પૂરતી માત્રામાં ઊર્જા મળી જાય છે. તેમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટસ હોય છે. જે સારી રીતે કામ કરવાની સાથે મેટાબોલિઝમ વધારવામાં સહાયક થાય છે.
જેમને બ્લડપ્રેશરની સમસ્યા રહે છે. તેમને ચોખા ખાવાથી નુકશાન નહીં થાય કારણ કે તેમાં સોડિયમની માત્રા ના બરાબર હશે. એવું પણ માનવામાં આવે છે કે ચોખા ખાવાથી પેટ ઠંડુ રહે છે. પેટ સંબંધી સમસ્યાઓ નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. કેટલાક જાણકારોનું કહેવું છે કે ચોખાના પાણીમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે ત્વચાની ઘણી સમસ્યા દૂર કરવાની સાથે કરચલીઓ આવતા પણ રોકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.