ફરી ચીનની અવળચંડાઈ! ભારતના વિસ્તારમાં 6-7 કિલોમીટર સુધી સેનાએ કરી ઘૂસણખોરી
અરુણાચલના ડોકલામને લઈને ભારત અને ચીન વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. ફરીથી એવી ખબર આવી રહી છે કે ચીનના સૈનિકોએ ભારતના વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારતનું એક ગામ જે બોર્ડર પર આવેલું છે તે બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યું હતું. Web Stories View more હેલિકોપ્ટર […]
અરુણાચલના ડોકલામને લઈને ભારત અને ચીન વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. ફરીથી એવી ખબર આવી રહી છે કે ચીનના સૈનિકોએ ભારતના વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારતનું એક ગામ જે બોર્ડર પર આવેલું છે તે બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભારતીય આર્મીના વિશ્વસનીય સુત્રો દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે કે ચીનના સૈનિકોએ ભારતની સીમામાં ઘૂસણખોરી કરી હતી. ચીન અને ભારતની સીમા પર એક ગામ આવેલું છે જેનું નામ ડેમચોક છે. જ્યાં તિબ્બતના લોકો પણ રહે છે અને તેઓ દલાઈલામાનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં હતા. ગામના સરપંચ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે ચીનના સૈનિકોએ ગામ સહિત 6-7 કિલોમીટરના વિસ્તાર જે ભારતની સીમામાં આવ્યા છે અને તેમણે ઘૂસણખોરી કરી હતી. જો કે ભારતીય આર્મીના સુત્રો દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભારતીય આર્મીના સુત્રો દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે જ્યારે ડેમચોક ગામના લોકો દ્વારા દલાઈ લામાનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો હતો ત્યારે ચીનના કર્મચારીઓ કે નાગરિકો નિયંત્રક રેખાની નજીક ઉભા રહ્યાં હતા. જો કે ગામના સરપંચે કહ્યું કે ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી છે અને તેઓ આ વાતને લઈને ઉપર સુધી ફરીયાદ કરશે.
આ પણ વાંચો: શ્રીદેવીના મોતને લઈને કેરળના ડીજીપી કર્યો એવો દાવો કે બોની કપૂરે કહ્યું ‘આવી વાતો તો થતી રહેશે!’
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]