FRIENDS પાસેથી રૂપિયા ઉછીના લેનારાઓ થઈ જાઓ સાવધાન ! મિલ્કત તો જપ્ત થશે જ, જેલ પણ જવુ પડશે

આવનારા દિવસોમાં મિત્રો પાસેથી કોઈ ઇમર્જન્સીમાં રૂપિયા ઉધાર લેતા આપ મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. અહીં સુધી કે જેલ પણ જવું પડી શકે છે. મોદી સરકાર એક એવો વટહુકમ લાવી રહી છે કે જે લાગુ થયા બાદ કો-ઑપરેટિવ સોસાયટી, ચિટ ફંડમાંથી પૈસાની વ્યવસ્થા કરવી મોંઘી પડશે. એટલું જ નહીં, વેપારીઓ અથવા ચૅરિટેબલ ટ્રસ્ટ-સંસ્થા પાસેથી પણ અંગત […]

FRIENDS પાસેથી રૂપિયા ઉછીના લેનારાઓ થઈ જાઓ સાવધાન ! મિલ્કત તો જપ્ત થશે જ, જેલ પણ જવુ પડશે
Follow Us:
| Updated on: Feb 25, 2019 | 7:18 AM

આવનારા દિવસોમાં મિત્રો પાસેથી કોઈ ઇમર્જન્સીમાં રૂપિયા ઉધાર લેતા આપ મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. અહીં સુધી કે જેલ પણ જવું પડી શકે છે.

મોદી સરકાર એક એવો વટહુકમ લાવી રહી છે કે જે લાગુ થયા બાદ કો-ઑપરેટિવ સોસાયટી, ચિટ ફંડમાંથી પૈસાની વ્યવસ્થા કરવી મોંઘી પડશે. એટલું જ નહીં, વેપારીઓ અથવા ચૅરિટેબલ ટ્રસ્ટ-સંસ્થા પાસેથી પણ અંગત જરૂરિયાત પૂરી કરવા આસાનીથી પૈસા નહીં મળી શકે.

મીડિયા રિપોર્ટ્સ કેન્દ્ર સરકાર ટૂંકમાં જ એક વટહુકમ લાવવા જઈ રહી છે કે તેનું નામ છે અનિયંત્રિત ડિપૉઝિટલ વટહુકમ. તે લાગુ થયા બાદ ઘણા બધા લોકો પર તેની સીધી અસર પડશે. કહેવાય છે કે આ વટહુકમ દ્વારા સરકારનો ઇરાદો આર્થિક કૌભાંડો નાબૂદ કરવાનો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સરકારના આ વટહુકમની ઘણા નાણાકીય નિષ્ણાતો નોટબંધી સાથે તુલના કરી રહ્યા છે. અત્યાર સુધીના નિયમો મુજબ સંબંધીઓ, બૅંકો, નાણાકીય સંસ્થાઓ, પ્રૉપર્ટી ખરીદારો કે ગ્રાહકો પાસેથી પૈસા ઉધાર લેવા પર છૂટ મળતી હતી. આ જ રીતે કારોબારી પણ કોઈ સંબંધી ન હોય, તેવા લોકો પાસેથી કારોબાર માટે લોન લઈ શકે છે, પરંતુ નવા નિયમને નોટબંધી કરતા પણ મોટો ગણવામાં આવી રહ્યો છે.

નવા નિયમ મુજબ બાળકોના અભ્યાસ, ઘરના કોઈ સભ્યના બીમાર થતા માત્ર સંબંધીઓ પાસેથી જ પૈસા લઈ શકાશે. આ પ્રકારના ખર્ચાઓ માટે લોકો સંબંધીઓના સ્થાને મિત્રો પાસેથી રૂપિયા ઉધાર લેતા હતાં.

નવો વટહુકમ લાગુ થયા બાદ જો બાળકો કોઈ ચૅરિટેબલ સંસ્થામાંથી પોતાના અભ્યાસ માટે લોન લેવા માંગશે, તો તેમને નહીં મળે. હવે વિદ્યાર્થીઓએ કાં તો પોતાના નિકટસ્થ સંબંધીઓ પાસેથી અથવા તો બૅંકમાંથી જ શૈક્ષણિક લોન લઈ શકશે.

જોકે આ વટહુકમથી સૌથી વધારે મુશ્કેલી નાના કારોબારીઓને થઈ શકે છે, કારણ કે આ લોકો બૅંકોની જગ્યાએ અન્ય સ્થાનેથી લોન લઈ પોતાનો વેપાર કરતા હોય છે. વટહુકમ મુજબ બૅંકો કે પછી અન્ય રીતે પૈસા જમા કરવા, ઉધાર લેવા પર આવા લોકોની સંપત્તિ જપ્ત કરી શકાય છે અને સાથે જ તેમણે જેલ પણ જવું પડી શકે છે.

[yop_poll id=1782]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">