કેનેડામાં કિંગ મેકર જગમીત સિંહઃ જસ્ટીન ટ્રુડોને સરકાર રચવા આ શીખ નેતાને સાથે લેવા પડશે

કેનાડામાં ફરી વખત પ્રધાનમંત્રી બનવા માટે જસ્ટિન ટ્રુડોને ગઠબંધન માટે આ શીખ નેતાની જરૂર પડશે. જગમીત સિંહના નેતૃત્વમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ 24 બેઠક પર જીત મેળવી છે. અને આ જગમીતની પાર્ટીને 15.9 ટકા વોટ મળ્યા છે. તો લિબરલ પાર્ટીના ટ્રુડોને 157 બેઠક મળી છે. અને બહુમત માટે 20 સીટની જરૂર છે. આ પણ વાંચોઃ ગુટ […]

કેનેડામાં કિંગ મેકર જગમીત સિંહઃ જસ્ટીન ટ્રુડોને સરકાર રચવા આ શીખ નેતાને સાથે લેવા પડશે
Follow Us:
| Updated on: Oct 23, 2019 | 10:24 AM

કેનાડામાં ફરી વખત પ્રધાનમંત્રી બનવા માટે જસ્ટિન ટ્રુડોને ગઠબંધન માટે આ શીખ નેતાની જરૂર પડશે. જગમીત સિંહના નેતૃત્વમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ 24 બેઠક પર જીત મેળવી છે. અને આ જગમીતની પાર્ટીને 15.9 ટકા વોટ મળ્યા છે. તો લિબરલ પાર્ટીના ટ્રુડોને 157 બેઠક મળી છે. અને બહુમત માટે 20 સીટની જરૂર છે.

Image result for jagmeet singh party

આ પણ વાંચોઃ ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે નહીં, સંગઠનની સ્થાપનામાં જવાહરલાલ નેહરુની હતી આ ભૂમિકા

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

338 બેઠકવાળી હાઉસ ઓફ કોમન્સમાં બહુમતી સાથે સત્તા પર આવવા જસ્ટિન ટ્રુડોને જગમીત સિંહના સહારાની જરૂર પડશે. કિંગમેકરની ભૂમિકાના અંદાઝમાં જગમીત સિંહે કહ્યું કે, ટ્રુડો એ વાતને માને છે કે અલ્પમતની સરકાર છે. જેથી અમારે સાથે મળીને કામ કરવું પડશે.

Image result for jagmeet singh party

NDP નેતા જગમીત સિંહે પહેલા જ સ્પષ્ટતા કરી દીધી કે અલ્પમતની સરકાર બનવાની સ્થિતિમાં તેમની પ્રાથમિકતા શું હોઈ શકે. જેમાં હાઉસિંગમાં રોકાણ, વિદ્યાર્થીઓ માટે લોનની સમસ્યા, ફોન અને ઈન્ટરનેટના બિલમાં ઘટાડો, રાષ્ટ્રીય ફાર્માકેયર યોજનાને વેગ આપવા સાથે અમીર લોકો પર ટેક્સ વધારવાની યોજના છે.

Image result for jagmeet singh party

જગમીત સિંહ કેનેડામાં ઓંટારિયો સિટીમાંથી સાંસદ ચૂંટાઈને આવ્યા છે. તેમનો પરિવાર વર્ષો પહેલા જ કેનેડામાં આવીને વસવાટ કર્યો હતો. તેમના પૂર્વજોનું ઘર પંજાબના બરનાલા જિલ્લામાં ઠીકરીવાલ ગામમાં છે. જગમીતનો જન્મ કેનેડામાં 2 જાન્યુઆરી 1979માં થયો હતો.

Image result for jagmeet singh party

જગમીતે બાયોલોજીમાં Bscની ડિગ્રી લીધી છે. યોર્ક યુનિવર્સિટીમાંથી લોની ડિગ્રીના સમયે ટ્યુશન ફી વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. 2006માં તેમણે કાઉન્સિલની સદસ્યતા પણ મેળવી હતી. જગમીત હંમેશા પ્રવાસીઓ અને શરણાર્થીઓના પક્ષમાં અવાજ ઉઠાવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે, 2013માં જગમીત સિંહ અમૃતસર આવવા માગતા હતા. પરંતુ ભારત સરકારે વિઝા આપ્યા નહોતા. વિઝા ન મળવા માટેના કારણમાં જગમીતે કહ્યું કે, 1984ના શીખ રમખાણમાં પીડિતોને ન્યાય અપાવવાના મારા સમર્થનને કારણે ભારત સરકાર મારાથી નારાઝ છે. 1984એ બે સમુદાય વચ્ચે રમખાણ નહીં પણ રાજ્ય પ્રાયોજિત નરસંહાર હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

2011માં પોતાની રાજનીતિની શરૂઆત કરે છે અને પહેલી જ ચૂંટણી હારી જાય છે. 2015માં જગમીત સિંહ ઓન્ટેરિયો ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નાયબ પ્રમુખ ચૂંટાયા હતા. 2017માં જગમીત સિંહે પોતાની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લડ્યા અને 4 ઉમેદવાર વચ્ચે એક તરફી જીત મેળવી હતી. હાલમાં ચૂંટણી પ્રચાર માટે જગમીતે Tik-Tokના માધ્યમનો પણ ઉપયોગ કર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">