વડાપ્રધાન મોદીની ખાસ ટીમમાં આ વ્યક્તિને રાખવા માટે બદલી દીધો 60 વર્ષ જુનો નિયમ, જાણો કોણ છે આ વ્યક્તિ

કેન્દ્ર સરકારે કેબિનેટ સચિવ પ્રદીપ કુમાર સિન્હાની સેવા 3 મહિના વધારવા માટે 60 વર્ષ જુના નિયમમાં ફેરફાર કર્યો છે. કેબિનેટ સચિવની નિમણુંક 2 વર્ષના કાર્યકાળ માટે થાય છે. અખિલ ભારતીય સેવા નિયમ 1958 હેઠળ સરકાર કેબિનેટ સચિવની સેવામાં વધારો કરી શકે છે પણ તેમનો કુલ કાર્યકાળ 4 વર્ષથી વધારે ના હોવો જોઈએ. પ્રદિપ કુમાર સિન્હા […]

વડાપ્રધાન મોદીની ખાસ ટીમમાં આ વ્યક્તિને રાખવા માટે બદલી દીધો 60 વર્ષ જુનો નિયમ, જાણો કોણ છે આ વ્યક્તિ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jun 09, 2019 | 3:45 PM

કેન્દ્ર સરકારે કેબિનેટ સચિવ પ્રદીપ કુમાર સિન્હાની સેવા 3 મહિના વધારવા માટે 60 વર્ષ જુના નિયમમાં ફેરફાર કર્યો છે. કેબિનેટ સચિવની નિમણુંક 2 વર્ષના કાર્યકાળ માટે થાય છે. અખિલ ભારતીય સેવા નિયમ 1958 હેઠળ સરકાર કેબિનેટ સચિવની સેવામાં વધારો કરી શકે છે પણ તેમનો કુલ કાર્યકાળ 4 વર્ષથી વધારે ના હોવો જોઈએ.

પ્રદિપ કુમાર સિન્હા તેમના કાર્યકાળના 4 વર્ષ પુરા કરવા જઈ રહ્યાં છે પણ મોદી સરકારે નિયમ જ બદલી દીધો છે. સુધારેલા નિયમો અનુસાર કેન્દ્ર સરકાર 4 વર્ષના કાર્યકાળ પછી પણ કેબિનેટ સચિવનો કાર્યકાળ વધારેમાં વધારે 3 મહિના સુધીનો વધારી શકે છે. નિયમમાં ફેરફાર કર્યા પછી તરત જ સરકારે પ્રદિપ કુમાર સિન્હાના 3 મહિનાના કાર્યકાળની વધારાની જાહેરાત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેબિનેટ સચિવ દેશનું સર્વશ્રેષ્ઠ પદ હોય છે. વડાપ્રધાન મોદીની ટીમમાં આ પદ પર કાર્યરત લોકોને ખાસ વ્યવસ્થાઓ મળે છે. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કેબિનેટ સચિવની ટીમને જ PMOમાં સૌથી પ્રભાવશાળી ટીમ તરીકે જોવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે પ્રદિપ કુમાર સિન્હાની નિવૃતી પછી ટીમમાં ફેરફાર થઈ જતો, જેથી વડાપ્રધાન મોદીએ છેલ્લા મહિને જ બીજીવાર વડાપ્રધાન પદ સંભાળ્યુ છે. તેથી તાત્કાલિક પ્રદિપ કુમાર સિન્હાના કાર્યકાળમાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. પહેલા 2017 અને 2018માં 1-1 વર્ષ માટે પ્રદિપ કુમાર સિન્હાના કાર્યકાળમાં વધારો કરવામાં આવ્યો હતો. સિન્હાને મે 2015માં 2 વર્ષ માટે કેબિનેટ સચિવ તરીકે નિમણુંક કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: AMTSની કોન્ટ્રાક્ટર કંપનીના ડ્રાઈવરો આજે સતત ત્રીજા દિવસે પણ હડતાલ પર, ગાંધી ચિંધ્યા માર્ગે કરશે ધરણાં

3 મહિના પછી પ્રદિપ કુમારની જગ્યાએ કોની નિમણુંક કરવામાં આવશે?

કેન્દ્રીય ગૃહસચિવ રાજીવ ગાબા 3 મહિના પછી પ્રદિપકુમાર સિન્હાની જગ્યાએ કેબિનેટ સેક્રેટરી બની શકે છે. ગાબાએ કેન્દ્ર સરકારના ઘણાં વિભાગોમાં કામ કર્યુ છે. બિહાર અને ઝારખંડ સરકારમાં ઘણાં પદો પર રહી ચૂક્યા છે. 31 ઓગસ્ટના રોજ ગૃહ સચિવ તરીકે તેમનો 2 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થશે. 1987ની બેચના IAS ઓફિસર અને જમ્મૂ કાશ્મીરના મુખ્ય સચિવ BVR સુબ્રમણ્યમ ગાબા પછી આ પદ માટે મુખ્ય દાવેદાર છે.

1982 બેચના IAS અધિકારી ગાબાની નિમણુંક જો કોઈ પદ પર કરવામાં આવશે તો તે 2 વર્ષ સુધી તે પદ પર રહેશે અને બીજા 2 વર્ષ માટે તેમનો કાર્યકાળ વધારવામાં આવી શકે છે. અત્યારે આ પદ પર પ્રદિપ કુમાર સિન્હા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">