ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ CAAના વિરોધમાં હિંસા કરનારાઓની સંપત્તિ જપ્ત કરાશે
વિરોધ પ્રદર્શનમાં હિંસા પર ઉતરી આવનારા લોકોની હવે ખેર નથી. કેમકે ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ હિંસા કરનારાઓની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પહેલાં વડોદરા પોલીસે એલાન કર્યું કે 20 ડિસેમ્બરે પથ્થરબાજીમાં વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. તે તમામની સંપત્તિ જપ્ત કરીને નુકસાનીની વસૂલાત કરવામાં આવશે. તો આ તરફ અમદાવાદમાં પણ હિંસા પર ઉતરનારા સામે […]
વિરોધ પ્રદર્શનમાં હિંસા પર ઉતરી આવનારા લોકોની હવે ખેર નથી. કેમકે ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ હિંસા કરનારાઓની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પહેલાં વડોદરા પોલીસે એલાન કર્યું કે 20 ડિસેમ્બરે પથ્થરબાજીમાં વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. તે તમામની સંપત્તિ જપ્ત કરીને નુકસાનીની વસૂલાત કરવામાં આવશે. તો આ તરફ અમદાવાદમાં પણ હિંસા પર ઉતરનારા સામે પોલીસ સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરશે.
આ પણ વાંચોઃ ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીનું ડાયરામાં આપેલા નિવેદનથી સર્જાયો વિવાદ
CAAના વિરોધ દરમિયાન થયેલા રાયોટીંગમાં જાહેર સંપતિને કરવામાં આવેલા નુકસાનનો એક એક રૂપિયો તેમણે પોતાના ખિસ્સામાંથી આપવો પડશે. અને એમ વસૂલાત પૂરી નહીં થાય તો જે-તે વ્યક્તિની તમામ સંપત્તિ જપ્ત કરીને પણ પોલીસ પૈસા વસૂલશે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ ક્રાઇમ બ્રાન્ચને આ અંગેનો હુકમ કરી દીધો છે. શાહઆલમ રાયોટીંગ કેસની તપાસ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાઇ રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ કેસમાં પણ જેમણે હિંસક દેખાવો કર્યા, પોલીસ પર પથ્થરમારો કર્યો, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું એ તમામ આરોપીઓના ફૂટેજ, ફોટોગ્રાફ અને ખાનગી રાહે પણ તપાસ કરી ઓળખ કરવામાં આવશે. ત્યાર બાદ આરોપીઓ પાસેથી નુકસાનીની વસૂલાત માટે કોર્ટની મંજૂરી મેળવવામાં આવશે. 19 ડિસેમ્બરની સાંજે સી.એ.એના વિરોધ દરમિયાન શાહઆલમ રાયોટીંગમાં 20થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ઉપરાંત પોલીસના વાહનોને પણ નુકસાન થયું હતુ.