હિંમતનગરના રસ્તા બેહાલ, સ્થાનિકોનો આક્ષેપ, અનેક રજુઆત છતા પ્રશાસન નથી કરી રહ્યું કામ
સાબરકાંઠા જિલ્લામાં રસ્તાઓને લઇને જાણે કે પારાવાર સમસ્યાઓ છે. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં જ અનેક રહેણાંક વિસ્તારોમાં લોકો પરેશાન છે. રસ્તાઓ તુટવા જ નહિ પણ વરસાદી દિવસો સિવાય પણ રસ્તા પર પાણી ભરાઇ રહેવાને લઇને સમસ્યા સર્જાઇ રહી છે. મહેતાપુરા બ્રહ્માણી નગર વિસ્તારમાં સ્થાનિક લોકો રસ્તાની સમસ્યાથી પરેશાન થઇ ચુક્યા છે. મહેતાપુરા અને બ્રહ્માણી […]
સાબરકાંઠા જિલ્લામાં રસ્તાઓને લઇને જાણે કે પારાવાર સમસ્યાઓ છે. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં જ અનેક રહેણાંક વિસ્તારોમાં લોકો પરેશાન છે. રસ્તાઓ તુટવા જ નહિ પણ વરસાદી દિવસો સિવાય પણ રસ્તા પર પાણી ભરાઇ રહેવાને લઇને સમસ્યા સર્જાઇ રહી છે. મહેતાપુરા બ્રહ્માણી નગર વિસ્તારમાં સ્થાનિક લોકો રસ્તાની સમસ્યાથી પરેશાન થઇ ચુક્યા છે. મહેતાપુરા અને બ્રહ્માણી નગર વિસ્તારમાં આવવા જવાના મુખ્ય રસ્તા પર અનેક જગ્યા ડામર જ નથી રહ્યો. ઉબડખાબડ રસ્તાને લઇ્ને લોકોએ અકસ્માતનો ભોગ પણ બનવુ પડી રહ્યુ છે. રસ્તા પર પણ ઉંડા ખાડા પડી ચુક્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં લોકડાઉન નથી થવાનું, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કરી સ્પષ્ટતા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો