બ્રાયન લારાએ ધોનીની જગ્યા લેવા માટે કે એલ રાહુલ કે ઋષભ પંતમાંથી કોને ગણાવ્યા યોગ્ય
એક જમાનાના દિગ્ગજ અને વેસ્ટઇન્ડીઝના પુર્વ ક્રિકેટર બ્રાયન લારાએ કહ્યુ છે કે, કેએલ રાહુલને વિકેટકીપીંગની જવાબદારી નહી આપવી જોઇએ. તેના બદલે બહેતરીન બેટ્સમેન રાહુલને બેટીંગ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે જવાબદારી સોંપવી જોઇએ. લારાનુ આ સાથે એમ પણ માનવુ છે કે, ઋષભ પંત પણ પાછળના એક વર્ષમાં ખુબ પરીપક્વ થયો છે. તે ભારતનો નંબર એક […]
એક જમાનાના દિગ્ગજ અને વેસ્ટઇન્ડીઝના પુર્વ ક્રિકેટર બ્રાયન લારાએ કહ્યુ છે કે, કેએલ રાહુલને વિકેટકીપીંગની જવાબદારી નહી આપવી જોઇએ. તેના બદલે બહેતરીન બેટ્સમેન રાહુલને બેટીંગ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે જવાબદારી સોંપવી જોઇએ. લારાનુ આ સાથે એમ પણ માનવુ છે કે, ઋષભ પંત પણ પાછળના એક વર્ષમાં ખુબ પરીપક્વ થયો છે. તે ભારતનો નંબર એક વિકેટકિપર અને બેટ્સમેન તરીકે તેના નામ પર વિચાર કરવો જોઇએ.
રાહુલે ઓસ્ટ્રેલીયા સામે ની સીમિત ઓવરોની સીરીઝમાં અને આ વર્ષની શરુઆતમાં, ન્યુઝીલેન્ડ સામેના પ્રવાસમાં પણ વિકેટકીપર તરીકે સારુ પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય ટીમે રાહુલની બેટીંગને લઇને પણ ક્રમની બાબતે પ્રયોગ કર્યો હતો જેમાં તે ખરો ઉતર્યો હતો. લારાએ એક સ્પોર્ટસ ચેનલના કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, સૌથી પહેલા તો એમ કહીશ કે જ્યારે વિકેટકીપીંગની વાત આવે છે, તો રાહુલ પર વિકેટકીપીંગ નો ભાર નહી નાંખવો જોઇએ.
વધુમાં કહ્યુ હતુ કે, રાહુલ એક બહેતરીન ખેલાડી છે. મને લાગે છે તેણે બેટીંગમાં ધ્યાન કેન્દ્રીંત કરવુ જોઇએ અને મોટા સ્કોર બનાવવા માટે પ્રયાસ કરવો જોઇએ. રાહુલે ટી-20 લીગમાં અત્યાર સુધીની પાંચ મેચોમાં એક શતક અને બે અર્ધ શતક સાથે 302 રન કર્યા છે. પંતને મહેન્દ્રસિંહ ધોનીના ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો છે. જોકે તેણે કેરીયરની શરુઆતમાં એક નબળા વિકેટકીપર તરીકે આલોચના સહન કરવી પડી હતી. જોકે લારાનુ માનવુ છે કે, લીગમાં તેણે 171 રન બનાવ્યા છે. આ યુવા ક્રિકેટર છેલ્લા એક વર્ષમાં પરીપક્વ થયો છે અને દિલ્હી કેપીટલ્સ તરફ થી રમતા તે વધુ જવાબદારી સ્વિકારતો થયો છે.
તેમણે કહ્યુ હતુ કે, ઋષભ પંત ને એક વર્ષ પહેલા હું આમ ન કહેતો, જોકે મને લાગે છે કે એક બેટ્સમેનના રુપમાં તેણે પોતાની જવાબદારી સમજી હતી. તે દિલ્હી કેપીટલ્સ તરફ થી જે રીતે રમી રહ્યો છે, તે જોતા એમ લાગી રહ્યુ છે કે તે પોતાની જવાબદારીઓને પણ સમજે છે. તે રન બનાવે છે અને બનાવવા પણ માંગે છે. તે તેની ઇંનીંગ્સને પણ શ્રેષ્ઠ કરવા પણ પ્રયાસ કરે છે. જો તે આમ જ કરવા માંગે છે તો તે નંબર વન થવો જોઇએ.
સંજુ સૈમસન ને લઇને બ્રાયન લારાએ કહ્યુ હતુ કે, 25 વર્ષના ક્રિકેટરે હજુ થોડો સુધાર કરવાની જરુર છે. સૈમસન રાજસ્થાન તરફ થી વિકેટકીપીંગ કરવાની જવાબદારી નથી નિભાવતો, પણ હુ માનુ છુ કે તે એમ કરી શકે છે. આ તેનુ મુખ્ય કામ છે. તે એક સારો ખેલાડી છે અને શારજાહમાં તેણે સારી રમત દાખવી છે. મને લાગે છે કે, સારા બોલીંગ આક્રમણ અને જીવંત વિકેટ પર તેની ટેકનીકમાં થોડી ખામી છે. ધોનીએ આ વર્ષે ઓગષ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી સંન્યાસ લીધો છે. તેણે ભારત તરફ થી 90 ટેસ્ટ અને 350 વન ડે અને 98 ટી-20 મેચ રમી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો