લતા મંગેશકરને ભારત સરકાર આપશે “Daughter Of The Nation” નો ખિતાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્ર સરકાર લતા મંગેશકરને સન્માન આપવા જઈ રહી છે. જેને સુર કોકિલા કહેવામાં આવે છે એવા લતા મંગેશકરને “Daughter Of The Nation” નો ખિતાબ આપવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને 28 સપ્ટેમ્બરના રોજ આ બિરુદથી સન્માનિત કરી શકાય છે. 28 સપ્ટેમ્બરના રોજ લતા મંગેશકરનો જન્મદિવસ છે અને આ […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્ર સરકાર લતા મંગેશકરને સન્માન આપવા જઈ રહી છે. જેને સુર કોકિલા કહેવામાં આવે છે એવા લતા મંગેશકરને “Daughter Of The Nation” નો ખિતાબ આપવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને 28 સપ્ટેમ્બરના રોજ આ બિરુદથી સન્માનિત કરી શકાય છે. 28 સપ્ટેમ્બરના રોજ લતા મંગેશકરનો જન્મદિવસ છે અને આ દિવસે તે 90 વર્ષના થઈ જશે. ભારતીય ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં તેમના ઐતિહાસિક યોગદાન માટે તેમને આ બિરુદ આપવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ગીતકાર પ્રસૂન જોશીએ પણ આ પ્રસંગ માટે એક વિશેષ ગીત લખ્યું છે. સરકારી સ્ત્રોત પાસેથી મળેલી માહિતી અનુસાર મોદીજી લતાજીના અવાજનો મોટો ચાહક છે. આ અગાઉ લતા મંગેશકરને ભારત સરકાર તરફથી ત્રણ વખત રાષ્ટ્રીય એવોર્ડ, પદ્મ ભૂષણ, પદ્મવિભૂષણ, દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. લતા મંગેશકરને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929 ના રોજ ઈન્દોરમાં થયો હતો. ગાવાની કુશળતા લતાને વારસામાં મળી હતી. તેમના પિતા દિનાનાથ મંગેશકર શાસ્ત્રીય ગાયક અને થિયેટર કલાકાર હતા. 1942 થી લગભગ 7 દાયકામાં લતા મંગેશકરે 1000 થી વધુ હિન્દી ફિલ્મોમાં 25 હજારથી વધુ ગીતો ગાયા છે.
આ પણ વાંચો: હવે જો કારમાં પણ હેલ્મેટ નહીં પહેરો તો ભરવો પડશે દંડ!
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]