મોદીના આ ‘શત્રુ’ને મળશે ‘મમતા’ની સજા, ભાજપે કહ્યું, ‘આવા લોકોએ પક્ષ અને પ્રજાના વિશ્વાસ સાથે દગો કર્યો છે’
કોલકાતામાં મમતા બૅનર્જીના નેતૃત્વમાં વિપક્ષી દળોની મહારેલી સામે ભાજપે પલટવાર કર્યો છે. ભાજપે વિપક્ષી એકજુટતાને સિદ્ધાંતવિહોણા લોકોનો જમાવડો ગણાવ્યો છે. આ સાથે જ રેલીમાં હાજરી આપનાર ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હા સામે કાર્યવાહીના સંકેતો પણ આપી દિધાં છે. કોલકાતામાં મહારેલી વચ્ચે ભાજપે દિલ્હીમાં મમતા વિરોધી મોરચો ખોલ્યો અને સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ રેલીમાં સામેલ થનાર શત્રુઘ્ન […]
કોલકાતામાં મમતા બૅનર્જીના નેતૃત્વમાં વિપક્ષી દળોની મહારેલી સામે ભાજપે પલટવાર કર્યો છે.
ભાજપે વિપક્ષી એકજુટતાને સિદ્ધાંતવિહોણા લોકોનો જમાવડો ગણાવ્યો છે. આ સાથે જ રેલીમાં હાજરી આપનાર ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હા સામે કાર્યવાહીના સંકેતો પણ આપી દિધાં છે.
કોલકાતામાં મહારેલી વચ્ચે ભાજપે દિલ્હીમાં મમતા વિરોધી મોરચો ખોલ્યો અને સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ રેલીમાં સામેલ થનાર શત્રુઘ્ન સિન્હા સામે ટૂંકમાં જ એક્શન લેવાનો સંકેત આપ્યો.
રૂડીએ કહ્યું, ‘શત્રુઘ્ન સિન્હા સામે પાર્ટી સંજ્ઞાન લઈ ચુકી છે. કેટલાક લોકોની મહત્વાકાંક્ષા વધી ગઈ છે. હું એવા લોકો વિશે કંઈ કહી નથી શકતો. આટલું જરૂર કહેવા માંગીશ કે આ પક્ષ અને જનતાના વિશ્વાસ સાથે દગો કરવાનું કામ છે.’
રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું કે રેલીમાં ભેગા થનાર લોકોનો કોઈ સિદ્ધાંત નથી. તેમણે કહ્યું, ‘આ એ લોકો છે કે જેઓ માત્ર એક વ્યક્તિ વિરુદ્ધ પોતાના સ્વાર્થોના કારણે એકજુટ થયાં છે. કેન્દ્રની મોદી સરકારને હટાવવા માટે તેમનો જમાવડો થયો છે, પણ તેમણે સમજી લેવું જોઇએ કે પ્રજા સમજુ છે અને તેમના ઝાંસામાં નથી આવવાની.’
[yop_poll id=681]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]