અમિત શાહ બોલ્યા, ‘જે ઈમરાન ખાન પુલવામા હુમલાની નિંદા ન કરી શકે તેના પર ભરોસો કેવી રીતે કરી શકાય’?
ભાજપ અધ્યક્ષ અમિત શાહે પુલવામા હુમલાની નિંદા ના કરવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની આલોચના કરી અને કહ્યું કે કેવી રીતે ભારત તેમની પર વિશ્વાસ કરી શકે છે. TV9 Gujarati Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે […]
ભાજપ અધ્યક્ષ અમિત શાહે પુલવામા હુમલાની નિંદા ના કરવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની આલોચના કરી અને કહ્યું કે કેવી રીતે ભારત તેમની પર વિશ્વાસ કરી શકે છે.
અમિત શાહે કહ્યું કે મોદી સરકાર પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહીની સાથે આતંકવાદી સંગઠનોના લીડરોમાં ડર પેદા કરવામાં સફળ રહી છે. આઝાદી પછી આતંકવાદ સામે લડવામાં મોદી સરકારનો રેકોર્ડ સૌથી સારો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારના કાર્યકાળમાં સૌથી વધારે સંખ્યામાં આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. આ સમયે અમિત શાહે પુલવામા હુમલા પર પાકિસ્તાનના વડાપ્રધાનની ચુપ્પી પર સવાલો ઉઠાવ્યા હતા.
અમિત શાહે કહ્યું હતું કે પાકિસ્તાની વડાપ્રધાન એકવાર પુલવામા હુમલાની નિંદા કરવી જોઈએ. આપણે તેમનાથી બીજી શું આશા રાખી શકીએ અને તેમની પર વિશ્વાસ કેવી રીતે રાખી શકીએ છે. પરરિસ્થિતિ તેમના નિયંત્રણમાં હોય કે ના હોય પણ એક વાર તો નિંદા તે કરી શકતા હતા. જમ્મૂ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ જૈશ એ મોહમ્મદના આતંકીઓએ કરેલ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. જેને લઈને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે પાકિસ્તાનના વડાપ્રધાનની ઝાટકણી કાઢી હતી.
[yop_poll id=1907]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]