કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરને લઈને મોદી સરકારનો નવો પ્લાન, જાણો વિગત
જમ્મુ કાશ્મીર બાબતે હવે સરકાર લાંબા સમય સુધી પ્રતિબંધો લાદી શકે તેવી શક્યતા નથી. કારણ કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનિશ્ચીત સમય સુધી ઈન્ટરનેટ બંધ ના રાખી શકાય. આ અંગે સરકારને રિપોર્ટ આપવા પણ જણાવવામાં આવ્યું છે. 7 દિવસમાં તેનો રિપોર્ટ આપવા કહેવામાં આવ્યું હતું. આ સિવાય કોર્ટે કલમ 144ને લઈને પણ સરકારને ટકોર કરી […]
જમ્મુ કાશ્મીર બાબતે હવે સરકાર લાંબા સમય સુધી પ્રતિબંધો લાદી શકે તેવી શક્યતા નથી. કારણ કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનિશ્ચીત સમય સુધી ઈન્ટરનેટ બંધ ના રાખી શકાય. આ અંગે સરકારને રિપોર્ટ આપવા પણ જણાવવામાં આવ્યું છે. 7 દિવસમાં તેનો રિપોર્ટ આપવા કહેવામાં આવ્યું હતું. આ સિવાય કોર્ટે કલમ 144ને લઈને પણ સરકારને ટકોર કરી છે કે અધિકારીઓ આ કલમનો ઉપયોગ કરતાં પહેલાં કારણ આપે. આ અંગે જાહેરાત પણ કરવામાં આવે.
આ પણ વાંચો : KHELO INDIA 2020: ખેલો ઈન્ડિયામાં ગુજરાતના સ્પર્ધકોએ જાણો કેટલા મેડલ જીત્યા?
જમ્મુ કાશ્મીર મુદે મોદી સરકારનો નવો પ્લાન જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરી શકાય અને લોકોને કલમ 370 શા માટે દૂર કરાઈ તેમજ તે બાદ સરકારે કઈ કઈ યોજનાઓ જમ્મુ કાશ્મીરના હિતમાં અમલમાં મૂકી તે અંગે જાણકારી લોકો સુધી પહોંચાડવાનું સરકાર વિચારી રહી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર મોદી સરકારના 36 મંત્રીઓ જમ્મુ કાશ્મીર જઈ શકે છે અને મોદી સરકારની યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ક્યારે પ્રતિનિધિમંડળ જઈ શકે છે જમ્મુ કાશ્મીર? આ અંગે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યો છે કે જમ્મુ કાશ્મીરમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવા અને કલમ 370 બાદ શું સકારાત્મક ફાયદાઓ થયા તેને ગણાવવા માટે કુલ 36 મંત્રીઓ 18થી 25 જાન્યુઆરીની વચ્ચે જમ્મુ કાશ્મીર જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ પ્રશાસને જમ્મુ કાશ્મીરમાં બ્રોડ બેન્ડ ઈન્ટરનેટ સેવા શરૂ કરી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]