અહેમદ પટેલના નિધનથી ખાલી પડેલ, રાજ્યસભાની એક બેઠક માટેની ચૂંટણી, ડિસેમ્બરમાં યોજવા ભાજપ ઉત્સુક
ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાઈને ગયેલા અહેમદ પટેલના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બેઠકની ચૂંટણી ડિસેમ્બરમાં યોજવા ભાજપે કવાયત હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, બિહારમાંથી રાજ્યસભામાં ચૂટાયેલા કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાના નિધનથી ખાલી પડેલી બેેઠકની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાનાર છે. આની સાથે જ ગુજરાતમાં અહેમદ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠકની ચૂંટણી યોજવા ભાજપે કેન્દ્રીય ચૂંટણીપંચનું ધ્યાન દોર્યુ છે. ગુજરાતમાં […]
ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાઈને ગયેલા અહેમદ પટેલના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બેઠકની ચૂંટણી ડિસેમ્બરમાં યોજવા ભાજપે કવાયત હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, બિહારમાંથી રાજ્યસભામાં ચૂટાયેલા કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાના નિધનથી ખાલી પડેલી બેેઠકની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાનાર છે. આની સાથે જ ગુજરાતમાં અહેમદ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠકની ચૂંટણી યોજવા ભાજપે કેન્દ્રીય ચૂંટણીપંચનું ધ્યાન દોર્યુ છે. ગુજરાતમાં ધારાસભ્યોની સભ્ય સંખ્યા જોતા, એક બેઠક માટે યોજાનાર રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો નિશ્ચિત વિજય થશે. શક્ય હશે તો ભાજપમાંથી જે કોઈ ઉમેદવાર ઊભા રહેશે તે મોટાભાગે બિનહરીફ થઈ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો