હરિયાણામાં JJP અને BJPના ગઠબંધનની સરકારઃ દિવાળીના દિવસે મનોહર ખટ્ટર લેશે શપથ

હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર સરકાર ફરી સત્તારૂઢ થવા જઈ રહી છે. આવતીકાલે દિવાળીના દિવસે મનોહરલાલ ખટ્ટર ચંદીગઢમાં શપથ ગ્રહણ કરશે. અને હરિયાણામાં જેજેપી સાથે મળીને ગઠબંધનની સરકાર બનાવશે. ચંદીગઢમાં મળેલી ભાજપની વિધાનસભા પક્ષની બેઠકમાં ખટ્ટરની વિધાયક દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી. તેઓ આવતીકાલે બપોરે 2 કલાકે શપથ ગ્રહણ કરશે. વિધાયક દળની બેઠકમાં સુપરવાઈઝર રવિશંકર […]

હરિયાણામાં JJP અને BJPના ગઠબંધનની સરકારઃ દિવાળીના દિવસે મનોહર ખટ્ટર લેશે શપથ
Follow Us:
| Updated on: Oct 26, 2019 | 7:44 AM

હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર સરકાર ફરી સત્તારૂઢ થવા જઈ રહી છે. આવતીકાલે દિવાળીના દિવસે મનોહરલાલ ખટ્ટર ચંદીગઢમાં શપથ ગ્રહણ કરશે. અને હરિયાણામાં જેજેપી સાથે મળીને ગઠબંધનની સરકાર બનાવશે. ચંદીગઢમાં મળેલી ભાજપની વિધાનસભા પક્ષની બેઠકમાં ખટ્ટરની વિધાયક દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી. તેઓ આવતીકાલે બપોરે 2 કલાકે શપથ ગ્રહણ કરશે. વિધાયક દળની બેઠકમાં સુપરવાઈઝર રવિશંકર પ્રસાદ, અનિલ જૈન પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ કોંગ્રેસે વડાપ્રધાન મોદીને પત્ર લખીને શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ‘ભારત રત્ન’ આપવાની કરી માગ

જેમાં મુખ્યપ્રધાન ભાજપના બનશે અને નાયબ મુખ્યપ્રધાન જેજેપીના હશે. તો બીજી તરફ ભાજપના સિનયર નેતાઓમાં પણ નાયબ મુખ્યપ્રધાન બનાવવાની માગણી ઉઠી છે. જેને લઈને હરિયાણાની સરકારમાં મંત્રી રહેલા અનિલ વીજને પણ નાયબ મુખ્ય પ્રધાન બનાવી શકે છે. જેની સાથે ખટ્ટર સરકારમાં બે નાયબ મુખ્યપ્રધાન શપથ લઈ શકે છે. આ સાથે એવી પણ માહિતી સામે આવી છે કે, દિવાળીના દિવસે જ શપથવિધિ કાર્યક્રમ યોજાઈ શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અમિત શાહે જણાવ્યું કે, ઘણા અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપને ટેકો આપ્યો છે. આજે ધારાસભ્ય પક્ષના નેતા ચૂંટાયા બાદ પ્રધાનોના નામ પર નિર્ણય લેવાઈ શકે છે. મહત્વનું છે કે અમિત શાહની જાહેરાત બાદ હવે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, હરિયાણામાં ફરી મનોહરલાલ ખટ્ટર મુખ્યપ્રધાન પદના શપથ લેશે. તેમજ જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યપ્રધાન બની શકે છે. તો દુષ્યંત ચૌટાલાની માતા નૈના ચૌટાલા પણ નાયબ મુખ્યપ્રધાન પદની રેસમાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આંકડાકીય સમીકરણની વાત કરીએ તો, ભાજપ જેજેપીની ગઠબંધનની સરકાર પાસે કુલ 59 બેઠકો થશે. ભાજપની 40 બેઠકો ઉપરાંત જેજેપીના 10 ધારાસભ્યોનો ટેકો છે. તો અપક્ષ સહિતના કુલ 9 ધારાસભ્યોએ પણ ભાજપને ટેકો આપવાની વાત કરી છે. જે મળી ગઠબંધન પાસે કુલ 59 બેઠક થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">