હરિયાણામાં JJP અને BJPના ગઠબંધનની સરકારઃ દિવાળીના દિવસે મનોહર ખટ્ટર લેશે શપથ
હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર સરકાર ફરી સત્તારૂઢ થવા જઈ રહી છે. આવતીકાલે દિવાળીના દિવસે મનોહરલાલ ખટ્ટર ચંદીગઢમાં શપથ ગ્રહણ કરશે. અને હરિયાણામાં જેજેપી સાથે મળીને ગઠબંધનની સરકાર બનાવશે. ચંદીગઢમાં મળેલી ભાજપની વિધાનસભા પક્ષની બેઠકમાં ખટ્ટરની વિધાયક દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી. તેઓ આવતીકાલે બપોરે 2 કલાકે શપથ ગ્રહણ કરશે. વિધાયક દળની બેઠકમાં સુપરવાઈઝર રવિશંકર […]
હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર સરકાર ફરી સત્તારૂઢ થવા જઈ રહી છે. આવતીકાલે દિવાળીના દિવસે મનોહરલાલ ખટ્ટર ચંદીગઢમાં શપથ ગ્રહણ કરશે. અને હરિયાણામાં જેજેપી સાથે મળીને ગઠબંધનની સરકાર બનાવશે. ચંદીગઢમાં મળેલી ભાજપની વિધાનસભા પક્ષની બેઠકમાં ખટ્ટરની વિધાયક દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી. તેઓ આવતીકાલે બપોરે 2 કલાકે શપથ ગ્રહણ કરશે. વિધાયક દળની બેઠકમાં સુપરવાઈઝર રવિશંકર પ્રસાદ, અનિલ જૈન પણ હાજર રહ્યા હતા.
જેમાં મુખ્યપ્રધાન ભાજપના બનશે અને નાયબ મુખ્યપ્રધાન જેજેપીના હશે. તો બીજી તરફ ભાજપના સિનયર નેતાઓમાં પણ નાયબ મુખ્યપ્રધાન બનાવવાની માગણી ઉઠી છે. જેને લઈને હરિયાણાની સરકારમાં મંત્રી રહેલા અનિલ વીજને પણ નાયબ મુખ્ય પ્રધાન બનાવી શકે છે. જેની સાથે ખટ્ટર સરકારમાં બે નાયબ મુખ્યપ્રધાન શપથ લઈ શકે છે. આ સાથે એવી પણ માહિતી સામે આવી છે કે, દિવાળીના દિવસે જ શપથવિધિ કાર્યક્રમ યોજાઈ શકે છે.
અમિત શાહે જણાવ્યું કે, ઘણા અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપને ટેકો આપ્યો છે. આજે ધારાસભ્ય પક્ષના નેતા ચૂંટાયા બાદ પ્રધાનોના નામ પર નિર્ણય લેવાઈ શકે છે. મહત્વનું છે કે અમિત શાહની જાહેરાત બાદ હવે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, હરિયાણામાં ફરી મનોહરલાલ ખટ્ટર મુખ્યપ્રધાન પદના શપથ લેશે. તેમજ જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યપ્રધાન બની શકે છે. તો દુષ્યંત ચૌટાલાની માતા નૈના ચૌટાલા પણ નાયબ મુખ્યપ્રધાન પદની રેસમાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આંકડાકીય સમીકરણની વાત કરીએ તો, ભાજપ જેજેપીની ગઠબંધનની સરકાર પાસે કુલ 59 બેઠકો થશે. ભાજપની 40 બેઠકો ઉપરાંત જેજેપીના 10 ધારાસભ્યોનો ટેકો છે. તો અપક્ષ સહિતના કુલ 9 ધારાસભ્યોએ પણ ભાજપને ટેકો આપવાની વાત કરી છે. જે મળી ગઠબંધન પાસે કુલ 59 બેઠક થાય છે.