રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે પાયાના કાર્યકર્તાઓને આપ્યું પ્રાધાન્ય

રાજ્યસભાની ચૂંટણીને લઈને સસ્પેન્સ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. ભાજપ દ્વારા રાજ્યસભા માટે ગુજરાતમાં 2 નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એક બ્રાહ્મણ અને એક મહિલા આદિવાસી નેતાને ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ રાજ્યસભાની ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિની ધારણાઓ કરવામાં આવી રહી હતી. BJP announces the names of party's candidates for […]

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે પાયાના કાર્યકર્તાઓને આપ્યું પ્રાધાન્ય
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 05, 2020 | 12:56 PM

રાજ્યસભાની ચૂંટણીને લઈને સસ્પેન્સ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. ભાજપ દ્વારા રાજ્યસભા માટે ગુજરાતમાં 2 નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એક બ્રાહ્મણ અને એક મહિલા આદિવાસી નેતાને ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ રાજ્યસભાની ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિની ધારણાઓ કરવામાં આવી રહી હતી.

જો કે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી 2 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટના જનસંઘ સમયથી ભાજપ સાથે જોડાયેલા વ્યવસાયે વકીલ એવા અભય ભારદ્વાજને ટિકિટ આપવામાં આવી છે સાથે જ આદિવાસી સમાજમાં પ્રભુત્વ ધરાવતા ભાજપના મહિલા નેતા રમીલા બારાની પસંદગી કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી તોડજોડની રાજનીતિ કરવામાં આવી રહી હતી. જેની સીધી અસર ભાજપના કાર્યકર્તાઓ પર થઈ રહી છે અને સમાજમાં પણ નેગેટિવ ઈમેજ ઉભી થઈ રહી છે, ત્યારે ભાજપે આ વખતે ગુજરાતમાં હાલ પૂરતી ખરીદ વેચાણ નીતિ પર બ્રેક લગાવી માત્ર 2 જ ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે વાત એ પણ હજી ચર્ચાઈ રહી છે કે હજી પણ ભાજપ ત્રીજા ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. કારણ કે રાષ્ટ્રીય નેતાગીરી દ્વારા હાલ કુલ 11 ઉમેદવારના જ નામ જાહેર કરેલા છે. જો બીજી યાદી બહાર પડે તો તેમાં ત્રીજા ઉમેદવારના નામની જાહેરાત થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચર્ચા એ પણ થઈ રહી છે કે કેન્દ્રીય નેતાગીરીએ ઉમેદવારના નામની પસંદગીમાં પ્રદેશ નેતાગીરીનો છેડ ઉડાવી દીધો છે. કારણ કે ઉમેદવારના નામની જાહેરાત થઈ ત્યાં સુધી પ્રદેશ નેતાઓને જ જાણ નહોતી કે ઉમેદવાર તરીકે કોના નામની જાહેરાત થઈ છે. કેન્દ્રીય નેતાગીરી દ્વારા આ ઉમેદવારના નામ જાહેર કરી પાર્ટીના કાર્યકર્તાઓને એ મેસેજ આપવા પ્રયાસ કર્યો છે કે પાર્ટી હજી પણ મૂળ ભાજપી અને જુના નેતાઓને જ મહત્વ આપે છે અને બીજું કે આદિવાસી મહિલા નેતાઓને પણ ભાજપ સ્થાન આપી રહ્યું છે. આમ હજી પણ ત્રીજા ઉમેદવારને લઈને સસ્પેન્સ યથાવત જ રહ્યું છે.

આ પણ વાંચો:  SBI બેન્કે લીધો મહત્વનો નિર્ણય, કરોડો ગ્રાહકોને થશે મોટો ફાયદો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">