VIDEO: શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય, ગેરરીતિ થઈ હશે તે શાળાને બોર્ડનું કેન્દ્ર અપાશે નહીં
બિન સચિવાયલના પેપરલીક કાંડ બાદ રાજ્યના શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. જે શાળામાં ગેરરીતિ થઈ હશે તે શાળામાં બોર્ડ હવેથી પરીક્ષા નહીં લે. જે શાળામાં ચોરી અને ગેરરીતિ થઈ છે તે શાળાઓને હવે સેન્ટર નહીં મળે. બોર્ડની પરીક્ષા પણ આવી શાળાઓમાં યોજાશે નહીં. બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ અન્ય શાળાના વિકલ્પ શોધશે. Web […]
બિન સચિવાયલના પેપરલીક કાંડ બાદ રાજ્યના શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. જે શાળામાં ગેરરીતિ થઈ હશે તે શાળામાં બોર્ડ હવેથી પરીક્ષા નહીં લે. જે શાળામાં ચોરી અને ગેરરીતિ થઈ છે તે શાળાઓને હવે સેન્ટર નહીં મળે. બોર્ડની પરીક્ષા પણ આવી શાળાઓમાં યોજાશે નહીં. બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ અન્ય શાળાના વિકલ્પ શોધશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો બીજી શાળાનો વિકલ્પ નહીં મળે તો જે શાળાઓમાં ગેરરીતિ સામે આવી છે તે શાળાઓ શિક્ષણ બોર્ડ પોતાના હસ્તક લઈને પરીક્ષા યોજશે. એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન ગેરરીતિ કરનારી શાળાના સ્ટાફને પરીક્ષાથી દૂર રાખવામાં આવશે. આ અંગે શિક્ષણ બોર્ડે ગુજરાત ગૌણ સેવા વિભાગ પાસેથી આવી શાળાઓની યાદી મગાવી છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે રાજ્યમાં કુલ 389 શાળાઓમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: રાજકોટમાં એપાર્ટમેન્ટમાં આગ લાગતા બે બાળકોના મોત, જુઓ VIDEO