VIDEO: શું સરકારની દાનત ભરતી કરવાની નથી? જાણો ક્યાં કારણે પરીક્ષા થઈ રદ

સરકારી નોકરી મેળવવાના સપના જોતા વિદ્યાર્થીઓને ફરી એકવાર ઝટકો વાગ્યો છે. બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી છે. જેને પગલે ઉમેદવારોમાં સરકાર સામે રોષ ફાટી નીકળ્યો છે. Social mediaમાં તો ઉમેદવારોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ગત શુક્રવારે રાજ્ય સરકારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. બિનસચિવાલય કલાર્ક અને […]

VIDEO: શું સરકારની દાનત ભરતી કરવાની નથી? જાણો ક્યાં કારણે પરીક્ષા થઈ રદ
Follow Us:
| Updated on: Oct 12, 2019 | 8:15 AM

સરકારી નોકરી મેળવવાના સપના જોતા વિદ્યાર્થીઓને ફરી એકવાર ઝટકો વાગ્યો છે. બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી છે. જેને પગલે ઉમેદવારોમાં સરકાર સામે રોષ ફાટી નીકળ્યો છે. Social mediaમાં તો ઉમેદવારોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ગત શુક્રવારે રાજ્ય સરકારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટના પદ માટે કુલ 3 હજાર 930 જગ્યાઓ ખાલી પડી હતી. જે ભરવા માટે 20 ઓક્ટોબરે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનારી હતી.

33 જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો પણ નક્કી થઈ ગયા હતા. 10 લાખ 45 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. પરંતુ અંતિમ ઘડીએ સરકારે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. પરીક્ષા રદ કર્યાની જાણ તમામ જિલ્લાના ડીઈઓ અને નિવાસી અધિક કલેક્ટરોને કરી દેવામાં આવી છે. સાથે જ ઉમેદવારોને પણ આ અંગે સૂચના આપી દેવાઈ છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરીક્ષા રદ કરવા પાછળ વિવિધ કારણોની ચર્ચા ચાલી રહી છે. જેમાં 21 ઓક્ટોબરે યોજાનારી 6 બેઠકની પેટાચૂંટણીની વ્યવસ્થાના કારણે વ્યવસ્થાનો પ્રશ્ન, ઉમેદવારની લાયકાત ધોરણ 12થી સુધારીને ગ્રેજ્યુએટ રાખવાનું ચર્ચાઈ રહ્યું છે. તો પરીક્ષા રદ કર્યાની જાહેરાત સાથે જ સોશિયલ મીડિયામાં પરીક્ષાનું પેપર સામગ્રી લીક થવા અંગેના મેસેજ વહેતા થયા હતા. મહત્વનું છે કે- દિવસ-રાત સરકારી પરીક્ષાની મહેનત કરતા ઉમેદવારો ખૂબજ ઉત્સાહિત હતા.

તેમને હતું કે તેમને વહેલી તકે સરકારી નોકરીની ખુશખબર સાંભળવા મળશે. પરંતુ પરીક્ષા રદ થયાના થયાના અહેવાલ સાંભળીને જ તેમના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ હતી. લોકોમાં તો એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે વારંવાર પરીક્ષાઓ રદ કરીને યુવાનોનું મનોબળ તોડી રહી છે. જોકે- પરીક્ષા રદ થવાનું ચોક્કસ કારણ જાણવા ન મળતા ઉમેદવારોએ સોશિયલ મીડિયામાં સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને વડાપ્રધાન મોદીની ભેટ, ભારતે ચીનની e-Visa ડિમાન્ડ પૂરી કરી

ગુજરાતમાં સરકારી નોકરીમાં છબરડાની ઘટનાઓ વધી રહી છે ત્યારે પરીક્ષાર્થીઓની એક જ અપીલ છે કે હવે જ્યારે પરીક્ષા લેવાય ત્યારે યોગ્ય સમય નક્કી કરવામાં આવે. અને તેની તારીખ બદલાય નહીં. કારણ કે આવી પરીક્ષાઓ અનેક યુવાનોનું ભાવી નક્કી કરતી હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">