CAA અને NRC મુદ્દે ચર્ચા કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બોલાવી બેઠક, આ પાર્ટીના નેતાઓ રહ્યા ગેરહાજર
CAA અને NRC વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. દેશની રાજનીતિમાં પણ કોંગ્રેસે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે CAA મુદ્દે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં TMC, શિવસેના અને AAPના નેતાઓ હાજર રહ્યા નહોતા. આ સાથે અનેક વિપક્ષી પાર્ટીએ પણ દૂરી બનાવી હતી. આ બેઠકમાં હાજર રહેવા મામલે માયાવતી અને મમતા બેનર્જીએ પહેલા જ ઈનકાર કરી […]
CAA અને NRC વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. દેશની રાજનીતિમાં પણ કોંગ્રેસે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે CAA મુદ્દે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં TMC, શિવસેના અને AAPના નેતાઓ હાજર રહ્યા નહોતા. આ સાથે અનેક વિપક્ષી પાર્ટીએ પણ દૂરી બનાવી હતી. આ બેઠકમાં હાજર રહેવા મામલે માયાવતી અને મમતા બેનર્જીએ પહેલા જ ઈનકાર કરી દીધો હતો.
તો શનિવારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ નાગરિકતા કાનૂનને એક ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી કાનૂન ગણાવ્યું હતું. જેનો નાપાક ઉદેશ્ય લોકોને ધાર્મિક આધારે વિભાજીત કરવાનો છે. માહિતી પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષે બોલાવેલી બેઠકમાં 20 પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, શરદ પવાર, અહેમદ પટેલ, એ.કે એન્ટની, કે.સી વેણુગોપાલ, ગુલામ નબી આઝાદ, રણદીપ સુરજેવાલા, સીતારામ યેચૂરી, ડી.રાજા સહિત હેમંત સોરેન, પ્રફુલ્લ પટેલ પણ હાજર રહ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો