ભુજના પ્રાગસર તળાવના બાંધકામને લઇને વિવાદ, ગામલોકોએ નોંધાવ્યો વિરોધ
ભુજના પ્રાગસર તળાવના બાંધકામને લઈને વિવાદ થયો છે. તળાવના બાંધકામની મંજૂરીને લઈને ગામલોકોએ વિરોધ નોંધાવ્યો છે. તળાવના કેટલાક ભાગમાં માટીથી પુરાણ કરી દેવાતા લોકોમા રોષની લાગણી ફેલાઈ છે. આ પુરાણ સામે લોકોએ વિરોધના સુર વ્યક્ત કરતાં કહ્યું છે કે તળાવને તળાવ જ રહેવા દો. તો ભુજની કેટલીક સામાજીક સંસ્થાઓએ પણ આ મુદ્દે કાયદાકીય લડતની ચિમકી […]
ભુજના પ્રાગસર તળાવના બાંધકામને લઈને વિવાદ થયો છે. તળાવના બાંધકામની મંજૂરીને લઈને ગામલોકોએ વિરોધ નોંધાવ્યો છે. તળાવના કેટલાક ભાગમાં માટીથી પુરાણ કરી દેવાતા લોકોમા રોષની લાગણી ફેલાઈ છે. આ પુરાણ સામે લોકોએ વિરોધના સુર વ્યક્ત કરતાં કહ્યું છે કે તળાવને તળાવ જ રહેવા દો. તો ભુજની કેટલીક સામાજીક સંસ્થાઓએ પણ આ મુદ્દે કાયદાકીય લડતની ચિમકી ઉચ્ચારી છે. જ્યારે ભુજ અને આસપાસના જ કેટલાક સ્થાનીકોએ તળાવ, તેના બાંધકામ અને મંજૂરીઓને લઈને તેમનો મત વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તળાવને તળાવ જ રહેવા દો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો