CAA Protest: ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને દિલ્હી પોલીસે મોડી રાત્રે કસ્ટડીમાં લીધો
દિલ્હી જામા મસ્જિદ પર નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવા પહોંચેલા ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર ત્યાંથી પોલીસને છેતરીને ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે તેમને ટ્વીટ કરીને કહ્યું કે જો દિલ્હી પોલીસ વાતચીત કરવા ઈચ્છે છે તો પહેલા દિલ્હી ગેટથી ધરપકડ કરેલા અમારા લોકોને છોડી દે. ચંદ્રશેખરના આ ટ્વીટ પછી ખબર સામે આવી કે દિલ્હી […]
દિલ્હી જામા મસ્જિદ પર નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવા પહોંચેલા ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર ત્યાંથી પોલીસને છેતરીને ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે તેમને ટ્વીટ કરીને કહ્યું કે જો દિલ્હી પોલીસ વાતચીત કરવા ઈચ્છે છે તો પહેલા દિલ્હી ગેટથી ધરપકડ કરેલા અમારા લોકોને છોડી દે. ચંદ્રશેખરના આ ટ્વીટ પછી ખબર સામે આવી કે દિલ્હી પોલીસે ચંદ્રશેખરને કસ્ટડીમાં લઈ લીધા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભીમ આર્મી ચીફને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લઈ લીધા પણ એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે ચંદ્રશેખરને લઈ દિલ્હી પોલીસ ક્યા ગઈ છે. આશુ ખાને જણાવ્યું કે તે શાંત રીતે પ્રદર્શન કરી રહ્યા હતા અને ચંદ્રશેખરને સમર્થન આપી રહ્યા હતા પણ ત્યારે દિલ્હી પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા. તેમને કોઈ જાણકારી નથી કે ચંદ્રશેખરને લઈ દિલ્હી પોલીસ ક્યા ગઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કસ્ટડીમાં લઈ ગયા પહેલા ચંદ્રશેખરે લોકોને અપીલ કરી હતી કે કઈ પણ થઈ જાય આ આંદોલન રોકાવું ના જોઈએ. ભીમ આર્મી ચીફે કહ્યું કે નાગરિકતા કાયદા અને NRC આ દેશને તોડી દેશે, તેની સાથે તેમને પ્રદર્શનકારીઓને અપીલ કરી કે તે શાંતિપૂર્ણ રીતે આંદોલનને ચાલુ રાખે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]