હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા, ફેરીના ટ્રાયલ દરમિયાન જહાજ અધવચ્ચે જ બંધ પડ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 તારીખે હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસની શરૂઆત કરાવવાના છે.પરંતુ આ ફેરી સર્વિસમાં પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો છે. આજે રો પેક્સ ફેરી સર્વિસનો ટ્રાયલ રાખવામાં આવ્યો હતો. પરંતુ ફેરી મધદરિયામાં અધવચ્ચે જ બંધ પડી ગઇ હતી. મળતી માહિતી મુજબ ફેરીના એન્જિન અને સ્ટિયરિંગમાં યાંત્રિક ખામી સર્જાતા ફેરી […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 તારીખે હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસની શરૂઆત કરાવવાના છે.પરંતુ આ ફેરી સર્વિસમાં પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો છે. આજે રો પેક્સ ફેરી સર્વિસનો ટ્રાયલ રાખવામાં આવ્યો હતો. પરંતુ ફેરી મધદરિયામાં અધવચ્ચે જ બંધ પડી ગઇ હતી. મળતી માહિતી મુજબ ફેરીના એન્જિન અને સ્ટિયરિંગમાં યાંત્રિક ખામી સર્જાતા ફેરી મધદરિયે જ અટવાઇ હતી.
મહત્વનું છેકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે. અને નવનિર્મિત રો-રો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રના લોકો માટે આ પ્રધાનમંત્રી તરફથી દિવાળીની ભેટ સાબિત થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો