ભાવનગર પંથકમાં પાછોતરા વરસાદે વાળ્યો દાટ, સરકાર સર્વે કરીને સહાય કરે તેવી માગ
પાછોતરા વરસાદે ખેડૂતોની ઉંઘ ઉડાડી દીધી છે. ખેતરોમાં ઉભો પાક બળી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. ભાવનગર પંથકના ખેડૂતોને વરસાદે પડ્યા પર પાટુ માર્યુ છે. અગાઉ અતિવૃષ્ટી અને હવે છેલ્લે છેલ્લે વરસેલા વરસાદથી મુશ્કેલી વધી છે. ખરીફ પાક નો સમય પૂર્ણ થતાં અને રવિ પાક ની શરૂઆતમા જ માવઠું થતા ખેડૂતોને નુકસાન થયુ છે. […]
પાછોતરા વરસાદે ખેડૂતોની ઉંઘ ઉડાડી દીધી છે. ખેતરોમાં ઉભો પાક બળી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. ભાવનગર પંથકના ખેડૂતોને વરસાદે પડ્યા પર પાટુ માર્યુ છે. અગાઉ અતિવૃષ્ટી અને હવે છેલ્લે છેલ્લે વરસેલા વરસાદથી મુશ્કેલી વધી છે. ખરીફ પાક નો સમય પૂર્ણ થતાં અને રવિ પાક ની શરૂઆતમા જ માવઠું થતા ખેડૂતોને નુકસાન થયુ છે. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે પણ વરસાદમાં ડુંગળીનો પાક ખરાબ થયો છે. મગફળી પલળી ગઈ છે તો તલ અને બાજરીનો પાક ધોવાયો છે. કપાસના પાકમાં પણ આ જ સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદથી ખેતરમાં ઉભા પાકને મોટાપાયે નુકસાન થયુ છે જેથી સરકાર સર્વે કરાવી સહાય કરે તેવી ખેડૂતોની માગ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો