ભાવનગર: ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ અનિશ્ચિત મુદત માટે બંધ
ભાવનગરના ઘોઘાથી દહેજ જનારા લોકોએ આજથી લાંબું અંતર કાપવું પડશે. ઘોઘા-દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી રો-રો ફેરી સર્વિસ આજથી અનિશ્ચિત મુદત માટે બંધ કરાવામાં આવી છે. મહત્વનું છે કે દહેજના દરિયામાં પાણીની ઉંડાઈ ન મળતા તંત્રને આ નિર્ણય લેવાની ફરજ પડી છે. આ પણ વાંચો: Bollywoodના મહાનાયક અમિતાભ બચ્ચનને મળશે ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડ Web […]
ભાવનગરના ઘોઘાથી દહેજ જનારા લોકોએ આજથી લાંબું અંતર કાપવું પડશે. ઘોઘા-દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી રો-રો ફેરી સર્વિસ આજથી અનિશ્ચિત મુદત માટે બંધ કરાવામાં આવી છે. મહત્વનું છે કે દહેજના દરિયામાં પાણીની ઉંડાઈ ન મળતા તંત્રને આ નિર્ણય લેવાની ફરજ પડી છે.
આ પણ વાંચો: Bollywoodના મહાનાયક અમિતાભ બચ્ચનને મળશે ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડ
રો-પેક્સને શરૂ કરે હજુ એક વર્ષ પણ પૂર્ણ થયું નથી ત્યારે એક જ વર્ષમાં બીજીવાર સર્વિસ ઠપ થઈ છે. આ સર્વિસ દ્વારા ખંભાતના અખાતમાં ઘોઘા અને દહેજ વચ્ચેનું અંતર ઘટીને 30 નોટીકલ માઇલ થઈ ગયું હતુ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. પરંતુ પાણીની ઉંડાઇના અભાવે કાદવયુક્ત પાણી આવી જતા ફેરીને અવરોધ ઉભો થયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો