ભરૂચમાં ટ્રાફિકની સમસ્યા પીછો છોડતી નથી, નેશનલ હાઈવે બાદ દહેજ રોડ ઉપર બિસ્માર રસ્તાના કારણે ચક્કાજામ
ભરૂચમાં નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકની સમસ્યા હજુ તો હળવી થઈ નથી ત્યાં વધુ એક ટ્રાફિક સમસ્યાએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. નંદેલાવ ઓવરબ્રિજ પરનો માર્ગ બિસ્માર બનતા દહેજ બંદર અને 3 જીઆઈડીસી તરફ વહન કરતા વાહનો માટે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ટ્રાફિક સીટી તરીકે બદનામ ભરૂચમાં છેલ્લા 4 દિવસથી નેશનલ હાઈવે પર ચક્કાજામની […]
ભરૂચમાં નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકની સમસ્યા હજુ તો હળવી થઈ નથી ત્યાં વધુ એક ટ્રાફિક સમસ્યાએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. નંદેલાવ ઓવરબ્રિજ પરનો માર્ગ બિસ્માર બનતા દહેજ બંદર અને 3 જીઆઈડીસી તરફ વહન કરતા વાહનો માટે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ટ્રાફિક સીટી તરીકે બદનામ ભરૂચમાં છેલ્લા 4 દિવસથી નેશનલ હાઈવે પર ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ટ્રાફિક મેનેજમેન્ટ સાથે સમારકામ કરાવી સમસ્યા હળવી બનાવી છે. તંત્ર રાહતનો દમ ભારે તે પૂર્વે ટ્રાફિકની વધુ એક સમસ્યા ઉભી થઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે અને માર્ગ પરથી સળીયા પણ બહાર આવી ગયા છે જેના પગલે વાહનોની ગતી અવરોધાઈ રહી છે. પીકઅવર્સમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભારદારી વાહનો પણ આ માર્ગ પરથી પસાર થાય છે અને વહન ચાલકોએ કલાકોના કલાકો બગાડવાનો વારો આવે છે. આ માર્ગ દહેજ પોર્ટ અને 3 જીઆઈડીસીને NH48 સાથે જોડે છે. ત્યારે બિસ્માર બનેલા માર્ગનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે એ જરૂરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો