ભારતીય યુદ્ધ જહાજ INS વિરાટને મ્યુઝીયમમાં ફેરવી નાખવાની અરજી ફગાવાઈ, કેન્દ્રીય રક્ષા મંત્રાલયે લીધો નિર્ણય
ભારતીય યુદ્ધ જહાજ INS વિરાટને મ્યુઝીયમમાં ફેરવી નાખવાની અરજીને ફગાવી દેવામાં આવી છે. મુંબઈની એન.વી ટેક એન્જીનીયરીંગ કંપની દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા જે સંદર્ભે દખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાંથી જણાવવામાં આવ્યું હતું કે અરજદાર કે અંતિમ ખરીદદાર રાજી હોય તો તેમને પણ કોઈ પ્રશ્ન નથી. જો કે કેન્દ્રીય રક્ષા […]
ભારતીય યુદ્ધ જહાજ INS વિરાટને મ્યુઝીયમમાં ફેરવી નાખવાની અરજીને ફગાવી દેવામાં આવી છે. મુંબઈની એન.વી ટેક એન્જીનીયરીંગ કંપની દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા જે સંદર્ભે દખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાંથી જણાવવામાં આવ્યું હતું કે અરજદાર કે અંતિમ ખરીદદાર રાજી હોય તો તેમને પણ કોઈ પ્રશ્ન નથી. જો કે કેન્દ્રીય રક્ષા મંત્રાલયે અરજીને ફગાવી દેવાનું વલણ દાખવતા INS વિરાટ હવે અલંગ ખાતે ભંગાવવા માટે આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો