ભારે વાદ-વિવાદ અને વ્યાપક ફરિયાદો વચ્ચે વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાજીવ દેવેશ્વરની બદલી,ENT વિભાગના પ્રોફેસર ડૉ.રંજન ઐયર સયાજી હોસ્પિટલના નવા સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિયુક્ત કરાયા
આખરે ભારે વાદ-વિવાદ અને વ્યાપક ફરિયાદો વચ્ચે વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાજીવ દેવેશ્વરની બદલી કરી દેવાઇ છે અને રાજીવ દેવેશ્વરને હિંમતનગરની GMIRS હોસ્પિટલના ડિન તરીકે ફરજ સોંપાઇ છે તો વડોદરાની મેડિકલ કોલેજના ENT વિભાગના પ્રોફેસર ડૉ.રંજન ઐયરને સયાજી હોસ્પિટલના નવા સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિયુક્ત કરાયા છે જેઓએ આજે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. મહત્વપૂર્ણ […]
આખરે ભારે વાદ-વિવાદ અને વ્યાપક ફરિયાદો વચ્ચે વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાજીવ દેવેશ્વરની બદલી કરી દેવાઇ છે અને રાજીવ દેવેશ્વરને હિંમતનગરની GMIRS હોસ્પિટલના ડિન તરીકે ફરજ સોંપાઇ છે તો વડોદરાની મેડિકલ કોલેજના ENT વિભાગના પ્રોફેસર ડૉ.રંજન ઐયરને સયાજી હોસ્પિટલના નવા સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિયુક્ત કરાયા છે જેઓએ આજે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. મહત્વપૂર્ણ છે કે OSD વિનોદ રાવે પણ વ્યાપક ફરિયાદને પગલે રાજીવ દેવેશ્વરને નોટિસ ફટકારી હતી અને આખરે સરકારે તેમની બદલી કરી છે ત્યારે નવ નિયુક્ત સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ઐયરે ટીવી9 સાથેની વાતચીતમાં સરકારી હોસ્પિટલમાં સારામાં સારી સેવા આપવાની વાત કરી અને દર્દીઓ તથા તેમના સગા સાથે સંવેદનશીલ વર્તન કરવાની તૈયારી દર્શાવી છે.