ભરૂચ: વાતાવરણમાં પલટા બાદ વીજળી પડવાના 3 બનાવ, 2 લોકોના મોત
ભરૂચ જિલ્લામાં આજે વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા વીજળી પાડવાના ત્રણ બનાવ નોંધાયા હતા. જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા. સાંજના સુમારે ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયાની સાથે વરસાદ વરસ્યો હતો. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદથી અસહ્ય ઉકળાટ બાદ ઠંડક પ્રસરી હતી. જિલ્લામાં ત્રણ જગ્યાએ […]
ભરૂચ જિલ્લામાં આજે વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા વીજળી પાડવાના ત્રણ બનાવ નોંધાયા હતા. જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા. સાંજના સુમારે ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયાની સાથે વરસાદ વરસ્યો હતો. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદથી અસહ્ય ઉકળાટ બાદ ઠંડક પ્રસરી હતી. જિલ્લામાં ત્રણ જગ્યાએ વીજળી પાડવાના બનાવ પણ બન્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અંકલેશ્વરના ભાદી ગામમાં વીજળી પડતા એક યુવાન ગંભીર રીતે દાઝી ગયો ગયો હતો. જેનું મોત નીપજ્યું હતું અન્ય એક બનાવમાં વાલિયાના નાના જામુડા ગામે બકરા ચરાવતી મહિલા અને પાશો ઉપર વીજળી પડતા મહિલાને બે પશુઓના મોત નિપજ્યા હતા. ત્રીજા બનાવમાં આમોદના રૂંઢ ગામે ખેતરમાં વીજળી પડતા ખેત મજુર મહિલાને ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે સરકારી આરોગ્ય કેન્દ્ર ખસેડાઈ હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો