ભારત બંધને દેશના 24 રાજકીય પક્ષોએ ટેકો જાહેર કર્યો, કૉંગ્રેસ, શિરોમણી અકાલી દળ, TMC, RJD, NCP, AAP, શિવસેનાએ બંધને સમર્થન આપ્યું
દેશભરમાં નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ખેડૂતોના ભારત બંધના એલાનને દેશના 24 રાજકીય પક્ષોએ ટેકો જાહેર કર્યો છે. કૉંગ્રેસ, શિરોમણી અકાલી દળ, TMC, RJD, NCP, AAP, શિવસેનાએ બંધને સમર્થન આપ્યું છે. તો કેટલાક ટ્રેડ યુનિયનો પણ બંધના સમર્થનમાં સામેલ થશે. દેશભરમાં ખેડૂતો સંગઠનો સરકાર વિરોધી ઉગ્ર પ્રદર્શન કરશે. ભારત […]
દેશભરમાં નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ખેડૂતોના ભારત બંધના એલાનને દેશના 24 રાજકીય પક્ષોએ ટેકો જાહેર કર્યો છે. કૉંગ્રેસ, શિરોમણી અકાલી દળ, TMC, RJD, NCP, AAP, શિવસેનાએ બંધને સમર્થન આપ્યું છે. તો કેટલાક ટ્રેડ યુનિયનો પણ બંધના સમર્થનમાં સામેલ થશે. દેશભરમાં ખેડૂતો સંગઠનો સરકાર વિરોધી ઉગ્ર પ્રદર્શન કરશે. ભારત બંધને લઈ દિલ્હી સહિત દેશભરમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. રાજધાની દિલ્હીમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ ખાસ સતર્ક થઈ ગઈ છે. તો ગુજરાતમાં બંધને નિષ્ફળ બનાવવા માટે કલમ 144 જાહેર કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો