વોટ્સએપથી કરી શકાશે ભ્રષ્ટાચારની ફરિયાદ, પંજાબમાં 23 માર્ચથી ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઈન શરુ કરવા ભગવંત માનની જાહેરાત
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે રાજ્યના લોકો માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 23 માર્ચ શહીદ દિવસના રોજ ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે.
પંજાબના (Punjab) મુખ્યમંત્રી ભગવંત માને (Bhagwant Mann) આજે રાજ્યના લોકો માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 23 માર્ચ શહીદ દિવસ (Shaheed Diwas) પર ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન (Anti-corruption helpline) શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યના લોકો વોટ્સએપ દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાવી શકશે. સીએમ ભગવંત માને કહ્યું, ’23 માર્ચે શહીદ દિવસના અવસર પર, હું એક હેલ્પલાઇન શરૂ કરીશ, જે મારો અંગત WhatsApp નંબર હશે. પંજાબમાં, જો કોઈ તમારી પાસે લાંચ માંગે, તો ના પાડશો નહીં, તેનો વીડિયો બનાવો અથવા ઓડિયો રેકોર્ડિંગ કરો અને તેને મારા નંબર પર મોકલો. “મારી ઓફિસ આ બાબતની તપાસ કરશે અને કોઈ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં,”
भगत सिंह जी के शहीदी दिवस पर, हम anti-corruption हेल्पलाइन नम्बर जारी करेंगे। वो मेरा पर्सनल वॉट्सऐप नंबर होगा। अगर आपसे कोई भी रिश्वत मांगे, उसकी वीडियो/ऑडियो रिकॉर्डिंग करके मुझे भेज देना। भ्रष्टाचारियों के ख़िलाफ़ सख्त एक्शन लिया जाएगा।
पंजाब में अब भ्रष्टाचार नहीं चलेगा।
— Bhagwant Mann (@BhagwantMann) March 17, 2022
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે સવારે ટ્વિટર પર માહિતી આપી હતી કે તેઓ એક ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહ્યા છે, જે રાજ્યમાં આજ સુધી લેવામાં આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ભ્રષ્ટાચારને મોટો મુદ્દો બનાવ્યો હતો અને જો તે સત્તામાં આવશે તો આવા મામલામાં કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. હવે ભગવંત માન, ભગતસિંહના શહીદ દિવસ પર ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન શરૂ કરીને મોટો સંદેશ આપવાની તૈયારી કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ પંજાબ રાજ્યમાં ભગત સિંહ અને ભીમરાવ આંબેડકરની નીતિઓ પર આગળ વધવાની વાત કરી છે. શપથ પ્રસંગે ભગવંત માને જાહેરાત કરી હતી કે રાજ્યના કોઈપણ કાર્યાલયમાં ભગતસિંહ અને ભીમરાવ આંબેડકર સિવાય કોઈની તસવીર નહીં હોય.
આ પણ વાંચોઃ
શુ સ્ટીલ્થ ઓમિક્રોન વેરિયન્ટથી આવશે કોરોનાની ચોથી લહેર ? ચીનમાં ઝડપથી વધી રહ્યા છે કેસ, જાણો કેટલો જોખમી છે વેરિયન્ટ
આ પણ વાંચોઃ