ભાદરવી પૂનમને લઈ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, લાખો ભક્તોએ કર્યા મા અંબાના દર્શન, જુઓ VIDEO
આજે ભાદરવી પૂનમના મેળાને લઈ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ફક્ત ગુજરાત જ નહીં પરંતુ આસપાસના રાજ્યોના લોકો અતૂટ શ્રદ્ધા સાથે માંના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે પહોંચ્યા છે. વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને બોલ માડી અંબે.. જય જય અંબેના નાદથી આખુય મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું. Web Stories View […]
આજે ભાદરવી પૂનમના મેળાને લઈ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ફક્ત ગુજરાત જ નહીં પરંતુ આસપાસના રાજ્યોના લોકો અતૂટ શ્રદ્ધા સાથે માંના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે પહોંચ્યા છે. વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને બોલ માડી અંબે.. જય જય અંબેના નાદથી આખુય મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે. અત્યાર સુધી કુલ 17 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ચૂક્યા છે. કોઈ પોતાની માનતા પૂરી કરવા આવ્યું છે તો કોઈ ફક્ત માતાજીના આશીર્વાદ લેવા આવ્યું છે.
પરંતુ જે કોઈ શ્રદ્ધાળુઓ આવ્યા છે તેમની માતાજી પ્રત્યેની શ્રદ્ધા અતૂટ છે. કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે પગપાળા ચાલીને અહીં પહોંચ્યા છે. કોઈ નજીકથી આવ્યું છે તો કોઈ લાંબા અંતરેથી ચાલીને માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા આવ્યું છે, એ જ દર્શાવે છે કે લોકોમાં માતાજી પ્રત્યે કેટલી શ્રદ્ધા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો પર આજે લક્ષ્મીદેવીની કૃપાદષ્ટિ રહેશે