શિવસેનાની ધારાસભ્ય દળની બેઠક પહેલા સંજય રાઉતે કહ્યું, 50-50ના ફોર્મ્યુલા પર અમે અડગ
શિવસેનાની ધારાસભ્ય દળની બેઠક પહેલા સંજય રાઉતે ફરી એકવાર 50-50 ફોર્મ્યુલાનો રાગ આલાપ્યો. જેમાં તેમણે કહ્યું કે, શિવસેના નરમ નથી પડી. અને પડશે પણ નહીં. કારણ કે, ચૂંટણી પહેલા જે વાયદો થયો હતો. તે જ વાયદા અંતર્ગત અમે માગણીઓ કરી રહ્યા છે. એટલું જ નહીં ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, અમારો મિત્ર પક્ષ વાયદાઓથી […]
શિવસેનાની ધારાસભ્ય દળની બેઠક પહેલા સંજય રાઉતે ફરી એકવાર 50-50 ફોર્મ્યુલાનો રાગ આલાપ્યો. જેમાં તેમણે કહ્યું કે, શિવસેના નરમ નથી પડી. અને પડશે પણ નહીં. કારણ કે, ચૂંટણી પહેલા જે વાયદો થયો હતો. તે જ વાયદા અંતર્ગત અમે માગણીઓ કરી રહ્યા છે. એટલું જ નહીં ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, અમારો મિત્ર પક્ષ વાયદાઓથી પાછળ હટી ગયા છે. જો કે, અમે અમારી માગ પર અડગ છીએ અને રહીશું.
આ પણ વાંચોઃ શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદી અને શીતલ માત્રેને Twitter પર જાનથી મારી નાખવાની ધમકી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે, માતોશ્રીમાં શિવસેનાના ધારાસભ્ય દળની બેઠક મળી રહી છે. જેમાં ઉદ્ધવ ઠાકરે ઉપરાંત સંજય રાઉત અને શિવસેનાના ધારાસભ્યો ઉપસ્થિત છે. આ બેઠકમાં શિવસેનાના ધારાસભ્ય દળના નેતા ચૂંટાશે. હાલ મળતી માહિતી અનુસાર, ફરી વખત એકનાથ શિંદે જ શિવસેનાના ધારાસભ્ય દળના નેતા ચૂંટાઇ શકે છે.