BANK MERGER : મર્જર બાદ 2118 બેંક શાખાઓ બંધ થઈ, જાણો યાદીમાં કંઈ- કંઈ બેંકોનો સમાવેશ

ભારતીય રિઝર્વ બેંકે(Reserve Bank of India) RTI હેઠળ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21માં 10 સરકારની બેંકોની કુલ 2,118 બેંકિંગ શાખાઓ ક્યાં તો કાયમી ધોરણે બંધ થઈ ગઈ છે

BANK MERGER :  મર્જર બાદ  2118 બેંક શાખાઓ બંધ થઈ, જાણો યાદીમાં કંઈ- કંઈ બેંકોનો સમાવેશ
બેંકની ફાઈલ તસ્વીર
Follow Us:
| Updated on: May 10, 2021 | 7:50 AM

ભારતીય રિઝર્વ બેંકે(Reserve Bank of India) RTI હેઠળ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21માં 10 સરકારની બેંકોની કુલ 2,118 બેંકિંગ શાખાઓ ક્યાં તો કાયમી ધોરણે બંધ થઈ ગઈ છે અથવા અન્ય બેંક શાખાઓમાં મર્જ થઈ ગઈ છે. રિઝર્વ બેંકે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ આ માહિતી એક RTI એક્ટિવિસ્ટને આપી છે.

આ માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં મર્જરની પ્રક્રિયાને કારણે સૌથી વધુ બેંક ઓફ બરોડાની 1,283 શાખાઓએ અસ્તિત્વ ગુમાવ્યું છે. આ પ્રક્રિયામાંથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 33૨, પંજાબ નેશનલ બેંકના 169, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની 124, કેનેરા બેંકની 107, ઇન્ડિયન ઓવરસીઝ બેંકની 53, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની 43, ઇન્ડિયન બેંકની પાંચ અને મહારાષ્ટ્રના બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકની એક શાખા બંધ થઈ છે.

BOIઅને UCO બેંકની કોઈ શાખા બંધ નથી થઈ આ અહેવાલમાં સ્પષ્ટ નથી કરાયું કે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન આ બેંકોની કેટલી શાખાઓ કાયમી ધોરણે બંધ કરવામાં આવી હતી અને કેટલી શાખાઓ અન્ય શાખાઓમાં મર્જ થઈ હતી. રિઝર્વ બેંકે આરટીઆઈ હેઠળ જણાવ્યું છે કે 31 માર્ચના રોજ પૂરા થતાં નાણાકીય વર્ષ 2020-21માં બેંક ઓફ ઇન્ડિયા અને યુકો બેંકની કોઈ પણ શાખા બંધ થઈ ન હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મર્જર યોજના પછી શાખાઓ બંધ આરટીઆઈ અંતર્ગત આપવામાં આવેલા જવાબમાં સંબંધિત 10 સરકારી બેંકોની શાખાઓ બંધ થવાની અથવા તેમને અન્ય શાખાઓમાં ભળી જવાનું કોઈ કારણ નથી પરંતુ એપ્રિલ 2020 થી સરકારી બેંકોની વિલયની યોજનાના અમલીકરણ પછી શાખાઓની સંખ્યાને યુક્તિસંગત બનાવવું આનું સૌથી મોટું કારણ બની શકે.

નોંધપાત્ર વાત એ છે કે સરકારે ગત નાણાકીય વર્ષમાં 10 સરકારી બેંકોને મર્જ કરી હતી અને તેમને ચાર મોટી બેંકોમાં ભેળવી દીધી હતી. આ પછી, સરકારી બેંકોની સંખ્યા ઘટીને 12 થઈ ગઈ છે. 1 એપ્રિલ, 2020 થી, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયાને પંજાબ નેશનલ બેંકમાં, સિન્ડિકેટ બેંકને કેનેરા બેંકમાં, આ ઉપરાંત આંધ્ર બેંકમાં અને કોર્પોરેશન બેંકને યુનિયન બેંકમાં મર્જ કરવામાં આવી છે તો ઈન્ડિયા બેન્કમાં ઈલાહાબાદ બેન્ક ભેળવી દેવાઈ છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">